બિહારના દાનાપુરમાં લોકમાન્ય તિલક ટ્રેનના AC કોચમાં લાગી આગ

Share this story

બિહારના આરામાં લોકમાન્ય તિલક સ્પેશિયલ ટ્રેનની એસી બોગીમાં આગ લાગવાના સમાચાર આવ્યા છે. એસી બોગીમાં આગ લાગતાં ઘણા મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. મળતી માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે ટ્રેનની એસી બોગીમાં આગ લાગી હતી. હકિકતમાં આ સમગ્ર ઘટના બિહારના ભોજપુર હેઠળના દાનાપુર-પંડિત દીનદયાળ ઉપાધ્યાય રેલ્વે સેક્શનના કરિસાઠ સ્ટેશન પાસેની બતાવવામાં આવી રહી છે.

સ્ટેશન નજીક હોળી સ્પેશિયલ ટ્રેનમાં આગ લાગી હતી. ટ્રેન ૦૧૪૧૦ હોળી સ્પેશિયલ દાનાપુરથી લોકમાન્ય તિલક જઈ રહી હતી. મોડી રાત્રે લગભગ ૨:૦૦ વાગ્યે દાનાપુરથી મુંબઈ જઈ રહેલી હોળી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક શોર્ટ સર્કિટ થઈ અને થોડી જ વારમાં ટ્રેનની એસી બોગીમાં આગ લાગી ગઈ. હોળીના કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યા ઘણી ઓછી હતી, તેથી હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ દરમિયાન રેલવેએ હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે જેના પર માહિતી મેળવી શકાય છે.

   * હેલ્પલાઇન નંબર

  • દાનાપુર હેલ્પલાઈન નંબર –06115232401
  • આરા હેલ્પલાઈન નંબર –9341505981
  • બક્સર હેલ્પલાઈન નંબર –9341505972

આ ઘટનાને પગલે થોડી વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હોળી-ધૂળેટીને લઈને દાનાપુરથી મુંબઈ જઈ રહેલી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે એસી ડબ્બામાં આગ લાગી હતીં. આ ઘટના અંગેની માહિતી તાત્કાલિક રેલવે વિભાગને આપવામાં આવી હતી. નોંધનીય છે કે, સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. દુર્ઘટનાને કારણે ડાઉન લાઇન પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. જો કે, બાદમાં રેલ્વે પ્રશાસને બધું સામાન્ય થવાનું શરૂ કર્યું.

લોકમાન્ય તિલક મેઈન લાઈનમાં આગ લાગવાને કારણે એક ડઝન ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જોકે, ડબ્બાને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો છે અને હોળી સ્પેશિયલ ટ્રેનને રવાના કરવામાં આવી છે. DRM જયંત કુમાર, PSCO પ્રભાત કુમાર, RPF IG અમરેશ કુમાર, વરિષ્ઠ DCM સરસ્વતી ચંદ્રા, RPF કમાન્ડન્ટ પી.કે. પાંડા, વરિષ્ઠ DM-૩ સંતોષ કુમાર સહિત ઘણા અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.