સુરતના વેપારીએ બનાવ્યો રામમંદિરની થીમ પર ૫ હજાર ડાયમંડ, ૨ કિલો ચાંદીનો નેકલેસ

Share this story

સુરતના જ્વેલર્સ વેપારી દ્વારા અનોખો રામમંદિરનો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. રામ દરબાર સાથેનો વેપારીએ આ નેકલેસ તૈયાર કર્યો છે. જેમાં ૪૦ જેટલા કારીગરો અને ૩૦ દિવસની મહેનત બાદ આ નેકલેસ સાથેનો રામ દરબાર તૈયાર થયો છે. જેમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આખા હાર પર સમગ્ર રામાયણના અધ્યાયો કંડારવામાં આવ્યા છે. જેને સોના, ચાંદી અને ૫,૦૦૦ અમેરિકન ડાયમંડથી તૈયાર કરાયો છે. નેકલેસ સાથેના આ રામ દરબારને રામમંદિરના નિર્માણ સાથે અયોધ્યામાં ભેટ આપવાના છે.

વંંુપરુપ

સુરતમાં રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસમાં ભગવાન રામ અને માતા સીતા ઉપરાંત લક્ષ્મણની મૂર્તિ છે. આ સાથે જ નેકલેસમાં ભગવાન હનુમાનની મૂર્તિ પણ છે. નેકલેસની આસપાસ બારહસિંઘાનો આકાર પણ બનાવવામાં આવ્યો છે. હીરાના વેપારીનું કહેવું છે કે, તેણે આ નેકલેસ કોઈ કોમર્શિયલ હેતુ માટે નહીં પરંતુ રામ મંદિરને ગિફ્ટ કરવા માટે બનાવ્યો છે.

રામ મંદિરની થીમ પર બનેલા આ નેકલેસને બનાવવા માટે ૪૦ કારીગરોએ મહેનત કરીને ૩૫ દિવસમાં તૈયાર કર્યો છે. નેકલેસ બનાવ્યા પછી, તે ખૂબ જ સુંદર લાગે છે. આ સમગ્ર નેકલેસની ડિઝાઇનમાં ૫ હજાર અમેરિકન હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હીરાનો આ હાર ૨ કિલો ચાંદીનો બનેલો છે.

આ પણ વાંચો :-