સુરત ખાતે તા. 11 જુલાઈ, 2026ના રોજ યોજાયેલી લોક અદાલતમાં શ્રેષ્ઠ, અસરકારક અને પ્રશંસનીય કામગીરી બદલ સુરતના યુવા વકીલ એડવોકેટ જય અજમેરાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટી,સુરત ના ચેરમેન શ્રી આર. એ. ત્રિવેદી સાહેબ તથા ડી.આર. જોષી સાહેબ દવારા સન્માનિત કરવામાં આવ્યા હતા. લોક અદાલત એ વૈકલ્પિક વિવાદ નિવારણનું એક મહત્વપૂર્ણ અને અસરકારક માધ્યમ છે, જેમાં પક્ષકારો ને ઝડપી, સરળ અને સૌહાર્દપૂર્ણ રીતે વિવાદોનો ઉકેલ મેવવવા ની તક મળે છે.
આ લોક અદાલત દરમિયાન એડવોકેટ જય અજમેરાએ પોતાની કાયદાકીય કુશળતા, અસરકારક રજૂઆત, મહેનત અને પક્ષકારોના હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે નોંધપાત્ર કામગીરી કરી હતી.તેમની કામગીરીને ધ્યાને લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન યુવા વકીલ જય અજમેરાની કાનૂની ક્ષેત્રમાં વધતી પ્રતિષ્ઠા અને તેમની કાર્યક્ષમતા માટેની એક મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે.નાની ઉંમરે કાનૂની ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા એડવોકેટ જય અજમેરા એ પોતાની મહેનત,નિષ્ઠા અને કાયદાકીય જ્ઞાન ના આધારે વિશિષ્ટ સન્માન પ્રાપ્ત કર્યું છે.
તેમના આ સન્માન થી પરીવારજનો,વકીલમિત્રો અને કાનૂની ક્ષેત્ર સાથે સંકળાયેલા શુભેચ્છકોમાં આંનદની લાગણી ફેલાઈછે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો તથા કાનૂની ક્ષેત્રના સહકર્મીઓએ એડવોકેટ જય અજમેરાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ તેઓ કાનૂની ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરે તથા સમાજના જરૂરિયાતમંદ લોકોને ન્યાય અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સુરત લોક અદાલતમાં શ્રેષ્ઠ કામગીરી બદલ યુવા એડવોકેટ જય અજમેરાનું ગૌરવપૂર્ણ સન્માન