સ્કિન કેન્સરમાં લોકો શરીરના બાકી હિસ્સા પર ધ્યાન આપે છે, પરંતુ કાનને ભૂલી જાય છે. કાનની અંદર થનાર કેન્સરથી અલગ આ કેન્સર કાનની બહારની ત્વચા કે અંદરની ત્વચા પર ઉદ્ભવી શકે છે, પરંતુ કાનની એકદમ અંદરના સ્ટ્રક્ચરથી શરૂ થતું નથી. આ કેન્સરને સ્કિનના કેન્સરની સાથે-સાથે કાનનું કેન્સર પણ કહેવામાં આવે છે. તો કાનના અંદરના ભાગમાં થનાર કેન્સર જ કાનનું કેન્સર હોય છે. તેવામાં જાણો સ્કિન કેન્સર કાન પર થવા અને કાનની અંદરમાં થનાર અસલ ઇયર કેન્સરના શું લક્ષણ હોય છે અને આ લક્ષણોને કઈ રીતે ઓળખી શકાય છે.
કાનના કેન્સરના શું લક્ષણ હોય છે
કાનના કેન્સરના શરૂઆતના લક્ષણોમાં કાનની ત્વચા પર ગાંઠ, દાણા કે અસામાન્ય નિશાન દેખાવા, સાંભળવામાં તકલીફ પડવી, કાનમાંથી લોહી કે અન્ય પ્રવાહી નીકળવું અને ત્વચાના રંગમાં ફેરફાર થવો સામેલ છે. કેટલાક દર્દીઓને કાન કે તેની આસપાસ સતત દુખાવો રહેતો હોય છે. ઉપરાંત કાનમાં સતત અવાજ સંભળાવા, સંતુલન જાળવવામાં મુશ્કેલી થવી અને ચહેરાના ભાગમાં નબળાઈ અનુભવવી પણ કાનના કેન્સરના સંકેતો હોઈ શકે છે.
કાનનું કેન્સર કેટલા પ્રકારના હોય છે
કાનનું કેન્સર મુખ્યત્વે ત્રણ પ્રકારનું હોય છે – બેઝલ સેલ કાર્સિનોમા, સ્ક્વામસ સેલ કાર્સિનોમા અને મેલાનોમા.
બેઝલ સેલ કાર્સિનોમા:
આ પ્રકારનું કેન્સર ત્વચાના બેઝલ સેલ સ્તરમાં શરૂ થાય છે. શરૂઆતમાં તે ધીમે વધે છે, પરંતુ સારવાર ન મળે તો શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે.
સ્ક્વામસ સેલ કાર્સિનોમા:
આ કેન્સર ત્વચાના ઉપરના સ્તર એટલે કે સ્ક્વામસ સેલ્સમાં વિકસે છે. તે કાનથી લસિકા ગ્રંથિઓ (લિમ્ફ નોડ્સ) સુધી ફેલાઈ શકે છે.
મેલાનોમા:
મેલાનોમા સૌથી ગંભીર પ્રકારનું સ્કિન કેન્સર માનવામાં આવે છે. તે ત્વચાને રંગ આપતા કોષોમાં વિકસે છે અને ઝડપથી શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ શકે છે. કાનની ત્વચાના રંગમાં ફેરફાર અથવા તલના આકારમાં બદલાવ તેના મુખ્ય લક્ષણો છે.
આ ઉપરાંત મિડલ ઇયર, ઇનર ઇયર અને ટેમ્પોરલ બોનમાં પણ કેન્સર થઈ શકે છે, જોકે આવા કિસ્સાઓ ખૂબ જ દુર્લભ હોય છે.
ક્યા લોકો આ કેન્સરની ઝપેટમાં આવી શકે
જે લોકો લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં રહે છે, વારંવાર કાનમાં ચેપનો ભોગ બને છે અથવા જેમના પરિવારમાં સ્કિન કેન્સરનો ઇતિહાસ છે, તેઓમાં કાનના કેન્સરનું જોખમ વધુ હોઈ શકે છે. રેડિએશનના સંપર્કમાં આવનારા લોકોમાં પણ આ બીમારી થવાની શક્યતા વધી શકે છે.
ક્યારે કાનની તપાસ કરાવવી
જો કાનની ત્વચા પર કોઈ અસામાન્ય નિશાન, તલ, દાણા અથવા ગાંઠ દેખાય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કાનની ત્વચાના રંગ કે આકારમાં ફેરફાર જણાય અથવા લાંબા સમય સુધી કોઈ સમસ્યા રહે તો તેની તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને જે લોકો લાંબા સમય સુધી તડકામાં રહેતા હોય તેમણે નિયમિત સ્કિન અને કાનની સ્ક્રીનિંગ કરાવવી જોઈએ, જેથી કેન્સરની વહેલી તકે ઓળખ થઈ શકે.