HomeInternationalમ્યાનમારમાં ભીષણ વિસ્ફોટમાં 46 લોકોના મોત, 74 ઘાયલ; 100થી વધુ ઘરોને નુકસાન

મ્યાનમારમાં ભીષણ વિસ્ફોટમાં 46 લોકોના મોત, 74 ઘાયલ; 100થી વધુ ઘરોને નુકસાન

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...
spot_img

મ્યાનમારના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં રવિવારે એક ઇમારતમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં 45થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જે ઇમારતમાં વિસ્ફોટ થયો હતો ત્યાં ખનન પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાતી વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. સ્થાનિક મીડિયા અને બચાવકર્મીઓએ જણાવ્યું કે આ ઘટના નામખામ શહેરના કાઉંગટુપ ગામમાં બની હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારમાં ભારે વિનાશ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

વિસ્ફોટ સ્થળે પહોંચેલા એક બચાવકર્મીએ જણાવ્યું કે રવિવાર સાંજ સુધીમાં છ બાળકો સહિત કુલ 46 લોકોના મૃતદેહો મળી આવ્યા હતા. તમામ મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે મોકલી દેવામાં આવ્યા છે. સુરક્ષા કારણોસર બચાવકર્મીએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી હતી.

74 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલુ
બચાવ દળના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 74 લોકોને નામખામની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અધિકારીઓ અને રાહતકર્મીઓ સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છે.

100થી વધુ ઘરોને નુકસાન
એક અન્ય બચાવકર્મીએ જણાવ્યું કે વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. ઇમારતની આસપાસ આવેલા 100થી વધુ ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે, જેના કારણે અનેક પરિવારો બેઘર બન્યા છે. કાઉંગટુપ ગામ ચીનની સરહદથી આશરે 20 કિલોમીટર દક્ષિણ તરફ આવેલું છે. આ વિસ્તાર તઆંગ નેશનલ લિબરેશન આર્મી (TNLA)ના નિયંત્રણ હેઠળ છે. TNLA મ્યાનમારની સૈન્ય સમર્થિત કેન્દ્ર સરકાર સામે લડી રહેલું એક જાતિઆધારિત સશસ્ત્ર સંગઠન છે.

વિસ્ફોટના કારણોની તપાસ શરૂ
અધિકારીઓએ ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટ ખનન માટે સંગ્રહિત વિસ્ફોટક સામગ્રીના કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

Subscribe

Latest stories