ઉત્તરાખંડના રાજકારણમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ભુવન ચંદ્ર ખંડૂરીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી રાજકીય વર્તુળમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પરિવારે આપી નિધનની માહિતી
પૂર્વ સીએમના પરિવારે તેમના અવસાનની સત્તાવાર માહિતી આપી હતી. ખંડૂરીના પરિવારમાં પત્ની અરુણા, પુત્ર મનીષ અને પુત્રી ઋતુ ખંડૂરી ભૂષણ છે. તેમની પુત્રી અને ઉત્તરાખંડ વિધાનસભાની અધ્યક્ષ ઋતુ ખંડૂરી ભૂષણે જણાવ્યું કે ભુવન ચંદ્ર ખંડૂરીએ રાત્રે લગભગ 11 વાગ્યે દેહરાદૂનની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
રાજકારણમાં આગવી ઓળખ ઉભી કરી
ભુવન ચંદ્ર ખંડૂરી ઉત્તરાખંડના દિગ્ગજ નેતાઓમાં ગણાતા હતા. તેઓ પોતાની સાદગી, શિસ્ત અને વિકાસલક્ષી રાજકારણ માટે જાણીતા હતા. તેમના નિધનથી ભાજપ સહિત સમગ્ર રાજ્યમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.