Tuesday, Apr 28, 2026

સુરત મનપામાં ભાજપની આગેકૂચ, 44માંથી 43 બેઠકો પર વિજય, વોર્ડ 12થી કોંગ્રેસનું કમબેક

1 Min Read

સુરત મહાનગરપાલિકાની મતગણતરીમાં ભાજપે જબરદસ્ત આગેકૂચ દર્શાવી છે. અત્યાર સુધી જાહેર થયેલા 44 બેઠકોના પરિણામોમાંથી ભાજપે 43 બેઠકો પર વિજય મેળવી દબદબો સ્થાપ્યો છે. એક ટર્મના વિરામ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે, જેમાં વોર્ડ નંબર 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ જીત મેળવી છે. બીજી તરફ આમ આદમી પાર્ટી હજુ સુધી પોતાનું ખાતું ખોલવામાં સફળ થઈ નથી, જેના કારણે ચૂંટણીના પ્રારંભિક તબક્કામાં ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5 વર્ષ બાદ કોંગ્રેસે વાપસી નોંધાવી છે. વોર્ડ નં. 12માં કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલાએ વિજય મેળવી પાર્ટીને મહત્વપૂર્ણ સફળતા અપાવી છે. આ જીત સાથે સુરત મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરત ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપે વિજયી પ્રારંભ કર્યો છે. અંબિકા તાલુકા પંચાયતની અનાવલ 1 અને 2 નંબર બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે, જ્યારે વલવાડા પુના બેઠક પર રેખાબેનનો વિજય જાહેર થયો છે.

મહુવા તાલુકા પંચાયતની દેદવાસણ બેઠક પર કોંગ્રેસે જીત નોંધાવી છે. બીજી તરફ ડુંગરી, ધોળીકુઈ 2, નિહાલી અને કાની બેઠકો પર ભાજપનો કબજો રહ્યો છે અને કેસરિયો લહેરાયો છે. ઉપરાંત કરચલિયા જિલ્લા પંચાયત બેઠક પર પણ ભાજપે વિજય મેળવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભાજપની મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે.

Share This Article