રાજ્યના વાતાવરણમાં ફરી ઍકવાર મોટો ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સહમાં કુદરતી આફત ત્રાટકવાની ભીતિ વ્યક્ત કરી છે. માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના શિરે ‘મીની વાવાઝોડા’નું જોખમ તોળાઈ રહ્યાં છે. જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય બન્યો છે.
અંબાલાલ પટેલે વધું જણાવ્યું કે, માર્ચ મહિનામાં હજુ વધુ ૩ પશ્ર્વિમ વિક્ષેપ ગુજરાતના વાતાવરણને હચમચાવશે. ખાસ કરીને 25 અને 26 માર્ચના રોજ નવો વિક્ષેપ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઠેર-ઠેર પવન ફૂંકાશે.
સૌથી વધુ ચિંતાજનક સમયગાળો 28 થી 31 માર્ચનો રહેશે. આ ચાર દિવસો દરમિયાન રાજ્યમાં અત્યંત શક્તિશાળી વિક્ષેપ અને વાવાઝોડા સાથે ભારે માવઠું (કમોસમી વરસાદ) પડવાની શક્યતા છે. પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેવાની હોવાથી કાચા મકાનો અને ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.