ભારત-અમેરિકા વેપાર સોદા માટેની ફેક્ટશીટ બહાર પાડ્યાના એક દિવસ પછી, વ્હાઇટ હાઉસે શાંતિથી અગાઉ લાગુ કરેલી શરતોમાં સુધારો કરી ભારતને વધુ રાહત આપી છે.
ભારત-અમેરિકા વેપાર સોદા અંગે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ, તેમણે ગયા અઠવાડિયે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. હવે અમેરિકાએ ફેક્ટશીટમાં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. સૌથી મોટો ફેરફાર એ છે કે આ સોદા હેઠળ ભારત દ્વારા 500 અબજ ડોલરના માલસામાનની ખરીદી કરવી હવે બંધનકર્તા નથી. મતલબ કે 500 અબજ ડોલરથી વધુ મૂલ્યના અમેરિકાના ઉત્પાદનો ખરીદવા માટેની ભારતની શરતને પહેલા “પ્રતિબદ્ધ” તરીકે વર્ણવવામાં આવી હતી, પરંતુ હવે આ શબ્દપ્રયોગને “ખરીદી કરવાનો ઇરાદો” તરીકે બદલી દેવામાં આવ્યો છે, જે કરારને ભારત માટે વધુ રાહત આપે છે.
અમેરિકાના વ્હાઇટ હાઉસની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બીજો મોટો સુધારો એ કરવામાં આવ્યો છે કે સોદા હેઠળ લાગુ પડતી ઉત્પાદન શ્રેણીઓની સૂચિમાંથી કૃષિ શબ્દને દૂર કરે છે. કેટલીક કઠોળ સહિત કેટલીક વસ્તુઓને ટેરિફ સૂચિમાંથી દૂર કરવામાં આવી છે.
ભારત-અમેરિકા વેપાર સોદાની ફેક્ટશીટના પહેલાના સંસ્કરણમાં જણાવાયું હતું કે ભારત તમામ યુએસ ઔદ્યોગિક માલ અને યુએસ ખાદ્ય અને કૃષિ ઉત્પાદનોની વિશાળ શ્રેણી પરના ટેરિફને દૂર કરશે અથવા ઘટાડશે, જેમાં સૂકા ડિસ્ટિલર્સના અનાજ (DDG), લાલ જુવાર, બદામ, તાજા અને પ્રોસેસ્ડ ફળો, કેટલાક કઠોળ, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટ અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે.