HomeGujaratનર્મદાના 75 લાખના તોડકાંડમાં મોટો ખુલાસો, કલેક્ટરના યુટર્નથી રાજકીય હલચલ

નર્મદાના 75 લાખના તોડકાંડમાં મોટો ખુલાસો, કલેક્ટરના યુટર્નથી રાજકીય હલચલ

Date:

Related stories

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...

ઓલપાડના અમીષ પટેલનું મોત અકસ્માત કે ષડયંત્ર? ઓડિયો ક્લિપથી ખૂલ્યું રહસ્ય

શું સુરતના ઓલપાડમાં સર્જાયેલો એક ભયાનક 'અકસ્માત' હકીકતમાં એક...
spot_img

નર્મદા જિલ્લામાં રૂપિયા 75 લાખના કથિત તોડકાંડ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે.સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે.ચૈતર વસાવાએ કાર્યપાલક એન્જિનિયરે પાસેથી 75 લાખ રૂપિયાની માગણી કરી હતી.અને નર્મદાના કલેક્ટરે આ વાત જાણે છે.અગાઉ નર્મદાના કલેક્ટરે ચૈતર વસાવાની સમક્ષ કહ્યું હતું કે રૂપિયાની માગણીની વાત ખોટી છે.પરંતુ આજે જ્યારે સાંસદ રજૂઆત કરવા ગયા ત્યારે કલેકટરે ફેરવી તોળ્યું હતું અને ચૈતર વસાવાએ રૂપિયા માગ્યા હોવાનું કહ્યું છે.

આ પહેલા પણ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માગણી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો,જે બાદ ચૈતર વસાવાએ કલેક્ટર સાથે મુલાકાત કરી હતી.ત્યારે કલેક્ટરે પૈસાની માગણી કરી હોવાની વાતને ખોટી ગણાવી હતી,ત્યારે આજે કલેક્ટરે ચૈતર વસાવાએ પૈસા માગ્યા હોવાનું કલેક્ટરે સ્વીકાર્યુ હોવાનું મનસુખ વસાવાએ નિવેદન આપ્યુ.સાથે કહ્યું કે રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ પણ તેમણે પૈસાની માગણી કરી હતી.આ વાતનો કલેક્ટરે આજે સ્વીકાર કર્યો છે

તો બીજી તરફ કલેક્ટરના યુટર્ન બાદ ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે.ભાજપે કલેક્ટર પર દબાણ કર્યું હોવાથી કલેકટરે પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે.કલેકટરને EDની ધમકી આપીને દબાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ ચૈતર વસાવાએ કર્યો છે.

Subscribe

Latest stories