વિશ્વમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ભયાનક ચાલી રહી છે. યુદ્ધના વાદળ તો દરેક દેશો પર મંડરાઈ રહ્યાં છે. તેવામાં ભૂકંપની ઘટનાઓ પણ વધી રહી છે. જાપાન આજે એક પ્રચંડ ભૂકંપથી હચમચી ઉઠ્યું છે. જાપાનના હોક્કાઇડો કિનારે એક શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધાઈ છે. જાપાન હવામાન એજન્સીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.
જાપાન હવામાન એજન્સીએ કહ્યું કે, ગુરુવારેના રોજ જાપાનના હોક્કાઇડો ક્ષેત્રમાં નેમુરો દ્વીપકલ્પના દક્ષિણપૂર્વ કિનારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 42.8 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 146.4 ડિગ્રી પૂર્વ રેખાંશ પર જોવા મળ્યું છે.
જાપાનમાં મોટાભાગે ભૂકંપ આવે એટલે સુનામીની આગાહી કરવામાં આવતી હોય છે. જોકે હજુ સુધી સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, ભૂકંપના જોરદાર આંચકાથી આ વિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. અત્યારે ભૂકંપ ખૂબ જ આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા પણ 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
કેટલું તીવ્ર, કેટલું જોખમી?
ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
- ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
- જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.જ્યારે
- ૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
- ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
- ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
- ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
- જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
- ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
- ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.