Friday, Oct 24, 2025

ખાલિસ્તાનીઓની વધુ એક નાપાક હરકત: પીએમ મોદીને ધમકી, કેનેડામાં ત્રિરંગાનું અપમાન

3 Min Read

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોની પ્રવળત્તિઓએ ફરી એકવાર ભારત-કેનેડા સંબંધોમાં તણાવ વધાર્યો છે. તાજેતરના ઘટનાક્રમમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ ખુલ્લેઆમ ભારતીય વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપી છે અને ભારતીય ત્રિરંગાનું અપમાન કર્યું છે. કેનેડાના નવા ચૂંટાયેલા વડાપ્રધાન માર્ક કાર્નેએ પીએમ મોદીને G-7 સમિટમાં આમંત્રણ આપ્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો. આ આમંત્રણથી ખાલિસ્તાની જૂથો ગુસ્સે થયા છે અને તેઓ તેને ભારત વિરોધી વિરોધ પ્રદર્શનની તક તરીકે જોઈ રહ્યા છે. G-7 ના વર્તમાન અધ્યક્ષ તરીકે કેનેડા 15 થી 17 જૂન દરમિયાન આલ્બર્ટા પ્રાંતમાં આ જૂથના સંમેલનનું આયોજન કરી રહ્યું છે. શુક્રવારે ફોન પર વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ G-7 સમિટમાં હાજરી આપવા માટે કાર્નેનું આમંત્રણ સ્વીકાર્યું.

ખાલિસ્તાની સમર્થકોએ વાનકુવર અને કેનેડાના અન્ય શહેરોમાં રેલીઓ કાઢી હતી, જેમાં તેઓએ ‘મોદીને મારી નાખો’ ના નારા લગાવ્યા હતા અને પીએમ મોદીની હત્યા કરવાની ધમકી આપી હતી. કેનેડિયન તપાસ પત્રકાર મોચા બેઝિઝને ખુલાસો કર્યો કે એક રેલી દરમિયાન, ખાલિસ્તાની સમર્થકોએ તેમને ઘેરી લીધા અને ધમકાવ્યા જ્યારે તેઓ એક વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. બેઝિર્ગને અહેવાલ આપ્યો કે પ્રદર્શનકારીઓએ ઇન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ પીએમ મોદીના ‘રાજકારણનો પણ એ જ રીતે અંત લાવશે.’
આ ઉપરાંત, ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય ત્રિરંગાને તલવારથી ફાડી નાખવા અને તેને આગમાં બાળી નાખવા જેવા અપમાનજનક કળત્યો કર્યા. આ ઘટના અગાઉ 19 ઓક્ટોબર, 2024 ના રોજ પણ જોવા મળી હતી, જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ પીએમ મોદીના પૂતળા અને ત્રિરંગાનું અપમાન કર્યું હતું. આ ઘટનાઓએ કેનેડામાં ભારતીય સમુદાયમાં રોષ અને અસુરક્ષાની ભાવના વધારી છે.

પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ) ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ આ મામલાને વધુ ગરમાવો આપ્યો. પન્નુએ કેનેડિયન પીએમ માર્ક કાર્નેનો ‘આભાર’ વ્યક્ત કરતો એક વીડિયો બહાર પાડ્યો, જેમાં કહ્યું કે તેમણે G-7 સમિટમાં ખાલિસ્તાનીઓને પીએમ મોદીને નિશાન બનાવવાની ò ઐતિહાસિક તર્ક આપી. પન્નુએ પીએમ મોદીની કેનેડા મુલાકાત દરમિયાન ‘લેન્ડિંગથી ટેકઓફ સુધી’ 48 કલાકના વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી.

ભારતે પન્નુની આ ધમકીઓને ગંભીરતાથી લીધી છે. ભારત સરકારે અગાઉ કેનેડામાં ખાલિસ્તાની પ્રવળત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, ખાસ કરીને 2023 માં, જ્યારે તત્કાલીન કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યો હતો. ભારતે આ આરોપોને ‘પાયાવિહોણા’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવીને ફગાવી દીધા હતા.

કેનેડા સરકાર તરફથી આ ધમકીઓ પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, જેને ભારતે ગંભીરતાથી લીધી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની ફેરાનગતિ અને અસુરક્ષિત વાતાવરણની નિંદા કરી છે. પીએમ મોદીએ કેનેડામાં ભારતીય સમુદાય અને તેમના પૂજા સ્થાનો, ખાસ કરીને હિન્દુ મંદિરો પર થયેલા હુમલાઓની પણ કડક નિંદા કરી છે.

ભારતે વારંવાર કેનેડાને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામે કાર્યવાહી કરવા અને ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમે કેનેડામાં ભારતીય નાગરિકોની સલામતી અંગે ખૂબ ચિંતિત છીએ. અમારા કોન્સ્યુલર અધિકારીઓ ધમકીઓ, ઉત્પીડન અને હિંસાથી નિરાશ નહી થાય

Share This Article