HomeNational'જાટ સમુદાયને OBCમાં સામેલ કરો', કેજરીવાલનો પીએમ મોદીને પત્ર

‘જાટ સમુદાયને OBCમાં સામેલ કરો’, કેજરીવાલનો પીએમ મોદીને પત્ર

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દિલ્હીના જાટ સમુદાયને અનામત આપવાનો મુદ્દો ઉઠાવ્યો. કેજરીવાલે કહ્યું કે દિલ્હીના જાટ સમુદાયને ભાજપ દ્વારા છેલ્લા 10 વર્ષથી છેતરવામાં આવી રહ્યો છે. કેજરીવાલે કહ્યું કે કેન્દ્ર સરકારની કોઈપણ કોલેજ, યુનિવર્સિટી કે સંસ્થામાં દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતું નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીના જાટોની યાદ ચૂંટણી પહેલા આવે છે. દિલ્હીની અંદર, રાજસ્થાનના જાટ સમુદાયને અનામત મળે છે પરંતુ દિલ્હીના જાટ સમુદાયને અનામત મળતી નથી. દિલ્હીની સ્ટેટ ઓબીસી લિસ્ટમાં પાંચ વધુ જાતિઓ છે, જે કેન્દ્રીય ઓબીસી લિસ્ટમાં નથી.

કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રમાં કહ્યું છે કે તમે દિલ્હીના જાટ સમુદાય સાથે દગો કર્યો છે. દિલ્હીમાં ઓબીસી દરજ્જો ધરાવતા જાટ અને અન્ય તમામ જાતિઓને કેન્દ્રની ઓબીસી યાદીમાં સામેલ કરવી જોઈએ. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે છેલ્લા દસ વર્ષથી ઓબીસી અનામતના નામે જાટ સમુદાય સાથે છેતરપિંડી કરી છે.

પત્રમાં લખ્યું છે કે તમે 2015 જાટ સમુદાયના નેતાઓને ઘરે બોલાવીને વચન આપ્યું હતું કે દિલ્હીના જાટ સમુદાયને કેન્દ્રની OBC યાદીમાં સામેલ કરવામાં આવશે. 2019 માં, અમિત શાહે જાટ સમુદાયને કેન્દ્રીય OBC યાદીમાં સામેલ કરવાનું વચન આપ્યું હતું.

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે, ‘કેન્દ્રની OBC લિસ્ટમાં ન હોવાને કારણે દિલ્હીના જાટ સમુદાયના હજારો બાળકોને DUમાં પ્રવેશ નથી મળતો. મોદી સરકાર દિલ્હીમાં ઓબીસી લિસ્ટમાં હોવા છતાં ન્દ્ર સરકારની સંસ્થાઓમાં જાટ સમાજને લાભ નથી મળવા દઈ રહી. દિલ્હીના જાટ સમુદાયને અનામત નથી મળતું. તેમને કોલેજમાં એડમિશન કે નોકરીઓમાં અનામત નથી મળતું. વડાપ્રધાને પોતે જાહેરાત કરી હતી કે જાટ સમુદાયને અનામત મળશે, પરંતુ તેમ છતાં તેમને કેન્દ્રની ઓબીસી લિસ્ટમાં સામેલ કરવામાં ન આવ્યા.’

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img