Thursday, Oct 23, 2025

ખાલિસ્તાની પન્નુની મારવાનું કાવતરું ઘડનાર વિકાસ યાદવ કોણ?

2 Min Read

અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ભારતના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે તે અધિકારીનું નામ વિકાસ યાદવ છે, જે અત્યાર સુધી અમેરિકામાં હતા. પરંતુ થોડા સમય પહેલા તેમને પરત બોલાવવામાં આવ્યા હતા. અમેરિકા અને ભારત બંનેએ ગુરુવારે કહ્યું હતું કે સંબંધિત અધિકારીને હટાવવામાં આવ્યા છે. અમેરિકાએ કહ્યું હતું કે અમે ભારત દ્વારા આ મામલાની તપાસથી સંતુષ્ટ છીએ. અમેરિકા કહે છે કે અમે વિકાસ યાદવ સામે ત્રણ આરોપો મૂક્યા છે, જેમાંથી બે મુખ્ય છે – પન્નુની હત્યા અને મની લોન્ડરિંગનું કાવતરું.

વિકાસ યાદવને લઈને જે જાણકારી મળી છે, તે અનુસાર તે હવે સરકારી અધિકારી નથી. અમેરિકી ન્યાય વિભાગનું કહેવું છે કે તે હાલ ફરાર છે. અમેરિકી ગુપ્ત એજન્સી એફબીઆઈ ડાયરેક્ટર ક્રિસ્ટોફર રે એ આને લઈને નિવેદન જારી કરતાં કહ્યું, એફબીઆઈ હિંસાની ઘટનાનો સ્વીકાર કરશે નહીં. આ સિવાય અમેરિકામાં રહેતા લોકોથી બદલો લેવાનો પ્રયત્ન પણ સ્વીકાર નથી. એ જરૂરી છે કે અમેરિકામાં રહેતા લોકોના બંધારણીય અધિકારોની સુરક્ષા કરવામાં આવે.’

યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આરોપ લગાવ્યો છે કે પન્નુની હત્યાનું કાવતરું મે 2023માં શરૂ થયું હતું. અમેરિકન એજન્સીઓનો આરોપ છે કે વિકાસ યાદવ આમાં સામેલ હતા. તે ભારતમાં અને બહાર કામ કરતા એજન્ટો સાથે સંકળાયેલા હતા. ભારતે ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુને આતંકવાદી જાહેર કર્યો છે અને તેને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો છે. આરોપમાં એવું કહેવામાં આવ્યું છે કે વિકાસ યાદવે પોતે નિખિલ ગુપ્તા નામના વ્યક્તિને નોકરી પર રાખ્યો હતો. તેને પન્નીની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી. નિખિલ ગુપ્તા સામે આ મામલામાં સૌથી પહેલા અમેરિકાએ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article