HomeNationalમાલીમાં સોનાની ખાણ ધસી પડતાં ૭૦થી વધુ લોકોના મોત

માલીમાં સોનાની ખાણ ધસી પડતાં ૭૦થી વધુ લોકોના મોત

Date:

Related stories

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...

80s Retro Photo Trend પાછળ છુપાયેલું મોટું જોખમ, AIમાં ફોટો આપતા પહેલા સાવધાન

સોશિયલ મીડિયાનો 80ના દાયકાનો રેટ્રો AI ટ્રેન્ડ તમને થોડી...

સુરતની શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમા લાગેલી આગનું રહસ્ય ખૂલ્યું !

સુરત-કડોદરા રોડ પર સારોલીના કુંભારીયા ત્રણ રસ્તા પાસે આવેલી...
spot_img

માલીમાં એક મોટો અકસ્માત થયો છે. એક અહેવાલ મુજબ સોનાની ખાણ ધસી પડવાને કારણે ૭૦થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટના બુધવારે બની હતી. માલી વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. આ દેશ આફ્રિકામાં સોનાના મુખ્ય ઉત્પાદકોમાંનો એક છે. અહીંની સોનાની ખાણોમાં અવારનવાર ભૂસ્ખલનના કિસ્સાઓ જોવા મળે છે. છતાં આ મોંઘી ધાતુ મેળવવા માટે લોકોએ સતત સંઘર્ષ કરતાં રહે છે.

દુર્ઘટના બાદ મંત્રાલયે ખાણકામમાં રોકાયેલા કામદારોને તમામ જરૂરી સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. મંત્રાલયના પ્રવક્તા બે કોલિબેલીએ જણાવ્યું હતું કે સોનાની ખાણમાં પ્રવેશેલા કામદારોએ સલામતી અંગે જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી. કુલીબલીએ કહ્યું કે અમે અનેકવાર આ અંગે ચેતવણીઓ જારી કરી હતી. બીજી તરફ, માલી સરકારે શોકગ્રસ્ત પરિવારો અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

મળતી માહિતી મુજબ, માલીના માઈનિંગ સેક્ટરમાં વિદેશી સમૂહોનું વર્ચસ્વ છે. કેનેડાની બેરિક ગોલ્ડ અને બી૨ગોલ્ડ, ઓસ્ટ્રેલિયાની રિઝોલ્યુટ માઇનિંગ અને બ્રિટનની હમિંગબર્ડ રિસોર્સિસ સહિતની વિદેશી કંપનીઓ છે, જે વર્ષોથી દેશમાં પ્રવર્તી રહેલી રાજકીય અસ્થિરતા છતાં કાર્યરત છે.

માહિતી અનુસાર, માલી આફ્રિકન દેશોમાં સોનાના ઉત્પાદનના સંદર્ભમાં ત્રીજા સ્થાને છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માલીમાં આવી ઘટનાઓ સામાન્ય છે.ખાણિયાઓ મોટાભાગે ગેરકાયદેસર રીતે સોનાની ખાણોમાં પ્રવેશ કરે છે અને આ દરમિયાન સલામતીની સૂચનાઓનું પાલન કરવામાં આવતું નથી, જેના કારણે આવા અકસ્માતો થાય છે. માઇનિંગ ડિરેક્ટોરેટના અધિકારી બાર્થેએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળવા માટે સરકારે કડક સૂચનાઓ જારી કરવી જોઈએ. મહત્ત્વનું છે કે,  માલીના ૨૦ લાખથી વધુ લોકો એટલે કે ૧૦ ટકા વસ્તી આવક માટે ખાણકામ પર નિર્ભર છે. માલીના ખાણ મંત્રાલયનો અંદાજ છે કે દેશમાં ૮૦૦ ટન સોનાનો ભંડાર છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img