છેલ્લા ૨૪ કલાકમા કોરાનાના ૧૯૮ નવા કેસો, એકનું મોત

Share this story

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯૮ નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૭ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૫૦,૨૪,૫૪૮ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશના કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.૧એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી ૧૨ રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા છે.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.૧ના પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી સૌથી વધુ ૫૧૨ દર્દી મળી ચૂક્યા છે. જેમાં કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮૩ કેસો નોંધાયા છે અને  કેરળમાં ૧૮૨ કેસ નોંધાયા છે.  આ સાથે ગોવામાં ૪૭, ગુજરાતમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૧૩૮, તામિલનાડુમાં ૨૬,આંધ્ર પ્રદેશ અને રાજસ્થાનમાં ૩૦, દિલ્હીમાં ૨૧ અને ઓડિશામાં ચાર કેસ નોંધાયા છે.દેશમાં અત્યાર સુધી ૫,૩૩,૪૪૨ લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૪,૮૯,૩૪૨ લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૩૧૯ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૧૭૬૪ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૮૧ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૮ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧૭,૬૦૫ લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૯૩.૫૮ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૦.૨૫ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૦.૫૦ ટકા છે.

આ પણ વાંચો :-