HomeNationalદિલ્હી AIIMS હોસ્પિટલમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળ્યા

દિલ્હી AIIMS હોસ્પિટલમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળ્યા

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img

કોરોના હજી સંપૂર્ણ રીતે નાબૂદ થયો નથી ત્યાં ચીનમાંથી આવતા નવા બેક્ટેરિયા ભારતમાં તણાવ વધાર્યો છે. હકીકતમાં, માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા નામનો એક નવો ચાઇનીઝ બેક્ટેરિયા ભારતમાં પ્રવેશ્યો છે, જે નાના બાળકોને અસર કરી રહ્યો છે. આ રોગ ચીનમાં તબાહી મચાવી રહ્યો છે. દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં એપ્રિલ અને સપ્ટેમ્બર વચ્ચે માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ મળ્યા છે.

AIIMSએ ચીનમાં બે પરીક્ષણો જેવા કે PCR અને IGM-ELISA દ્વારા એક બેક્ટેરિયમ જે બાળકોમાં શ્વસન રોગનું કારણ બને છે એવા માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસ નોંધ્યા છે. પીસીઆર અને આઈજીએમ એલિસા ટેસ્ટનો પોઝીટીવીટી દર ત્રણ અને ૧૬ ટકા હોવાનું જાણવા મળ્યું છે. આ જ કારણ છે કે. ચીનથી આવેલા કોરોનાનો સામનો કર્યા બાદ ભારતમાં આ રોગનો ભય ફેલાવા લાગ્યો છે.

ભારતમાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને શોધવા માટે સર્વેલન્સ વધારવાની જરૂર છે. AIIMS દિલ્હીએ માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાના સાત કેસોની તપાસ કરી છે, જે આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે ચીનમાં ફેલાયેલા રોગનું કારણ છે. ચેપના પ્રારંભિક તબક્કામાં PCR પરીક્ષણ દ્વારા એક કેસ શોધી કાઢવામાં આવ્યો હતો જ્યારે બાકીના છ કેસ IgM ELISA પરીક્ષણ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા.

ભારતમાં તેના કેસની તપાસને કારણે ચિંતા વધી છે કારણ કે ચાર વર્ષ પહેલા ડિસેમ્બર ૨૦૧૯માં કોવિડ ચીનથી શરૂ થયો હતો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો હતો. AIIMS દિલ્હીના માઇક્રોબાયોલોજી વિભાગના ભૂતપૂર્વ વડા અને કન્સોર્ટિયમના સભ્ય ડૉ. રમા ચૌધરીએ એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે, “માયકોપ્લાઝ્મા ન્યુમોનિયાને ૧૫-૨૦% સમુદાય હસ્તગત ન્યુમોનિયાનું કારણ માનવામાં આવે છે.” જ્યારે જયપુર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સ્ટેટિસ્ટિક્સ(NIMS)ના ડીન ડૉ. ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આ બેક્ટેરિયમને કારણે થતો ન્યુમોનિયા સામાન્ય રીતે હળવો હોય છે, તેથી તેને ‘વૉકિંગ ન્યુમોનિયા’ પણ કહેવામાં આવે છે. પરંતુ ગંભીર કિસ્સાઓ પણ આવી શકે છે.”

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img