HomeNational'હું આભારી છુ, ઉત્સાહિત છુ, રામમય છું', રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ...

‘હું આભારી છુ, ઉત્સાહિત છુ, રામમય છું’, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણ પર CM યોગી ભાવુક

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર ગતિએ ચાલી રહ્યું છે. શ્રી રામલલા ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નજીક આવી ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓએ યુપીના સીએમ યોગી આદિત્યનાથને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે ઔપચારિક આમંત્રણ આપ્યું હતું. સીએમ યોગીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું છે કે આજે જીવન ધન્ય બની ગયું છે. મન પ્રસન્ન છે. CM ભાવુક જોવા મળ્યાલ છે. ટ્રસ્ટના અધિકારીઓ આમંત્રણ આપવા લખનૌમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સીએમ યોગીએ ફોટો શેર કરી લખ્યું કે, શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામ લલ્લા સરકારના નેતૃત્વમાં બાલરૂપ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યો છે.

ભગવાન શ્રી રામની અપાર કરુણા, આદરણીય સંતો અને દાદાગુરુ બ્રહ્મલિન મહંત દિગ્વિજયનાથજી મહારાજ અને આદરણીય ગુરુદેવ બ્રહ્મલિન મહંત અવેદ્યનાથજી મહારાજના આશીર્વાદ, આદરણીય અશોક સિંઘલજી અને રામ ભક્તોનો સદીઓથી ચાલતો સતત સંઘર્ષ અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વની સફળતા છે. આપણે બધા અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાની બાળરૂપ વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા જોવા મળશે. હું આભારી છું, ખુશ છું, ઉત્સાહિત છુ, રામમય છું.

શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયમાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રામલલા સરકારના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક ક્ષણ પર ૪૦૦૦ આદરણીય સંતો અને ૨૫૦૦ પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહેશે. આ સિવાય ઘણા ખાસ મહેમાનો પણ સામેલ થશે. વૈજ્ઞાનિકો, કલાકારોની જેમ પરમવીર ચક્રથી સન્માનિત પરિવારો, શહીદ કારસેવકોના પરિવારોને પણ આમંત્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img