Saturday, Sep 13, 2025

મોડાસામાં ટ્રકમાં આગ લાગતાં 3 ના મોત, દોઢસોથી વધુ ઘેંટા બકરાંના પણ મોત

1 Min Read

અરવલ્લી જિલ્લાના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગ લાગતા ત્રણ લોકો જીવતા ભડથું થઈ ગયા છે. જ્યારે 150થી વધુ ઘેટા-બકરાના પણ મૃત્યુ નિપજ્યા હતા.
મળતી માહિતી અનુસાર મોડાસા તાલુકાના બામણવાડ પાસેથી ઘેટાં બકરા ભરેલી ટ્રક પસાર થતી હતી, ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે ટ્રકમાં સવાર ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા હતા. જ્યારે ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાંના પણ મોત નીપજ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં મોડાસા અને ટીંટોઇ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

Share This Article