HomeGujaratઅંકલેશ્વર-વાલિયા રોડ પર અકસ્માત: બાઈક-રિક્ષાની ટક્કર બાદ આગ, મહિલાનું મોત, 4 ગંભીર...

અંકલેશ્વર-વાલિયા રોડ પર અકસ્માત: બાઈક-રિક્ષાની ટક્કર બાદ આગ, મહિલાનું મોત, 4 ગંભીર રીતે દાઝ્યા

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે સવારના સમયે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. બાઈક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનોમાં તુરંત આગ ભડકી ઊઠી હતી. આ વિકરાળ આગની લપેટમાં આવી જવાથી રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતું ભૂંજાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થળ પર જોવા મળેલા દ્રશ્યો હૃદય દ્રાવક હતા.

ટક્કર બાદ વાહનોમાં આગ ભભૂકી
પ્રાથમિક માહિતી મુજબ, કોસમડી ગામ પાસે બાઈક અને રિક્ષા વચ્ચે એટલી જોરદાર અથડામણ થઈ કે ટક્કરના કારણે સેકન્ડોમાં જ બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આગનો તીવ્ર પ્રકોપ એટલો હતો કે રિક્ષામાં સવાર મહિલાને બહાર નીકળવાનો કે બચવાનો કોઈ અવકાશ મળ્યો નહોતો. મદદ માટે લોકો દોડી આવ્યા છતાં, વિકરાળ જ્વાળાઓએ કોઈને નજીક જવા દીધા નહોતા અને મહિલાનો જીવ બચાવી શકાયો ન હતો.

ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
આ ભયાનક અકસ્માતમાં રિક્ષા અને બાઈકમાં સવાર અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે પ્રયાસો બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ અને ધુમાડાના કારણે રોડ પર વાહનોની અવરજવર અટકી ગઈ હતી, જેના પરિણામે ટ્રાફિક જામ સર્જાયો હતો.

તપાસ બાદ જ અકસ્માતનું કારણ સ્પષ્ટ થશે
અકસ્માતની માહિતી મળતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક અંદાજ મુજબ, બંને વાહનો બેફામ ગતિએ આવતા હતા અને તેના કારણે જ આ ધડાકાભેર ટક્કર સર્જાઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, અકસ્માતના ચોક્કસ કારણો પોલીસની સધન તપાસ બાદ જ સામે આવશે. આ ઘટનાએ ફરી એકવાર માર્ગ સુરક્ષા અને બેફામ ડ્રાઇવિંગના ભયાનક પરિણામો સામે લાવ્યા છે.

Subscribe

Latest stories