HomeGujaratAmbaji Bhadarvi Poonam : અંબાજીમાં મેળા અગાઉ દબાણ હટાવવાની કામગીરી કરતાં મહિલા...

Ambaji Bhadarvi Poonam : અંબાજીમાં મેળા અગાઉ દબાણ હટાવવાની કામગીરી કરતાં મહિલા રડી પડી

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img
  • શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડા જ દિવસ બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે.

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. આવનારા થોડા જ દિવસ બાદ ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે. અંબાજી મેળા અગાઊ ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન આજે અંબાજી બજારોમાં ઘર્ષણ સર્જાયું હતું.

પોતાની દુકાન આગળના ઓટલા અને પાઈપો તૂટતા મહિલાઓ રડતી આંખે જોવા મળી હતી. મહિલાઓએ આરોપ લગાવ્યો હતો કે અમોને નુકસાન થયું છે. ભાદરવી મહામેળો શરુ થાય તે અગાઉ તંત્ર તરફથી દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મામલો બિચક્યો હતો.

૧૩ સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે હાઈવે માર્ગ ઉપરના દબાણ અને અંબાજીના બજારોમાં થયેલ દબાણ દૂર કરવાની ડ્રાઈવ યોજાઈ હતી. જેમાં અંબાજી ગ્રામ પંચાયત, દાંતા તાલુકા પંચાયત અને અંબાજી પોલીસ સ્ટાફ દ્વારા અંબાજીના બજારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અંબાજીના જુના બજાર અને હાઈવે માર્ગ ઉપર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રની સાથે દબાણ હટાવવામાં આવ્યું હતું. ત્યારે કેટલીક જગ્યા ઉપર ઘર્ષણના બનાવ પણ બન્યા હતા. દુકાનદારો સાથે ગ્રામ પંચાયતના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતુ. જેસીબી દ્વારા ઓટલા, છજા તોડતા વેપારીઓ ખફા થયા હતા.

ટીડીઓ, પોલીસ સહિતનાં અધિકારીઓ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયા હતા. વેપારીઓનો મોટો આરોપ કે અમારું મોટું નુકસાન કર્યું છે. અંબાજીનાં બજારોમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ઘર્ષણ સર્જાતા કેટલાંય વેપારીઓને નુકસાન થયું.

૨૩ થી ૨૯ સપ્ટેમ્બર ભાદરવી મહામેળો :

દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી ખાતે ભાદરવી મહામેળો ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન યોજવાનો છે ત્યારે અંબાજીના બજાર અને હાઇવે માર્ગ ઉપર જે દબાણ થયેલું હતું. તે દબાણ તોડવાની કામગીરી આજે વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી હતી. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી કરાઈ હતી અને દબાણ દૂર કરતા પહેલાં બે દિવસ અગાઉ નોટીસ પણ અપાઈ હતી.

આ પણ વાંચો :-

 

 

Subscribe

Latest stories

spot_img