HomeNationalકાળોતરા નાગનાં ડંખથી બોય ફ્રેન્ડનો લીધો જીવ, હવે બની શકે છે....

કાળોતરા નાગનાં ડંખથી બોય ફ્રેન્ડનો લીધો જીવ, હવે બની શકે છે….

Date:

Related stories

મોદીની પુતિનને અનોખી ભેટ કેમ ચર્ચામાં? ‘તિરુક્કુરલ’ વિશે જાણો આ મહત્વની વાતો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

પુતિનના ભારત પ્રવાસ વચ્ચે Su-57 પર ચર્ચા તેજ, 5મી પેઢીના ફાઇટર જેટ અંગે મોટું અપડેટ

ભારત અને રશિયા વચ્ચેની જૂની અને વ્યૂહાત્મક રક્ષા ભાગીદારીમાં...

સુરતમાં આજથી સતત 3 દિવસ બેંકો કેમ બંધ?

સુરતમાં આજે બેંકનું કામકાજ લઈને પહોંચેલા ગ્રાહકોને શાખાના દરવાજે...

તાપી બચાવવા સુરતીઓએ શોધ્યો અનોખો ઉપાય, ભાદરવી અમાસે બ્રિજ પર થયો આ પ્રયાસ

સુરતની જીવાદોરી સમાન તાપી નદીમાં શ્રદ્ધાના નામે પ્રદૂષણ ન...

કોંગોની શાળામાં 29 બાળકો ભડથું થઈ ગયા

ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના બુકાવુ શહેરમાં ગુરુવારે બનેલી એક...
spot_img
  • ઉત્તરાખંડની સાથે દેશભરમાં ફેમસ થયેલા બિઝનેસમેન અંકિત ચૌહાણની હત્યાના મામલામાં વેબ સિરીઝ પણ બનવા જઈ રહી છે. સાપ કરડવાના આ અનોખા મામલાને લઈને મુંબઈના એક ડિરેક્ટર હવે વેબ સિરીઝ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યાનું જાણવામાં આવી રહ્યું છે.

ઉત્તરાખંડની સાથે સાથે દેશભરમાં ફેમસ થયેલા બિઝનેસમેન અંકિત ચૌહાણની હત્યાના મામલામાં વેબ સિરીઝ પણ બનવા જઈ રહી છે. સાપ કરડવાના આ અનોખા મામલાને લઈને મુંબઈના એક ડિરેક્ટરે, SSP પંકજ ભટ્ટનો સંપર્ક કર્યો છે. આ બાબતે વેબ સિરીઝ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરીને સમગ્ર ઘટનાની માહિતી માંગી હતી.

ઉત્તરાખંડના હલ્દવાની માંથી સામે આવેલ આ ઘટના સાપના ડંખથી હત્યાનો ત્રીજો કેસ હતો. ૧૫ જુલાઈના રોજ હલ્દવાની તીન પાણીમાં બિઝનેસમેન અંકિત ચૌહાણનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. પગ પર સાપ કરડવાના નિશાન હતા. શંકાના આધારે તપાસ કરવામાં આવતાં હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે સાપેરા રમેશ નાથને પકડીને આ કેસનો ખુલાસો કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર અંકિતની ગર્લફ્રેન્ડ માહીએ તેને સાપનો ડંખ મરાવી તેની હત્યા કરી હતી. આ પછી માહી, તેના સાથી દીપ કંદપાલ, નોકર રામાવતાર, તેની પત્ની ઉષાની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલો દેશભરમાં હેડલાઇન્સમાં રહ્યો હતો. માહી પણ અચાનક જ સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગઈ. હવે આ વાર્તા મુંબઈની ફિલ્મી દુનિયા સુધી પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં આના પર એક વેબ સિરીઝ બનવા જઈ રહી છે.

આ હત્યાકાંડની આખી વાર્તા પુસ્તક અને મેગેઝિનમાં પણ પ્રકાશિત કરવામાં આવશે. માહી અને અંકિતની પ્રેમ કહાનીથી દર્દનાક અંત સુધીની સફર ટૂંક સમયમાં પુસ્તક અને મેગેઝિનમાં પ્રકાશિત થવા જઈ રહી છે. પોલીસમાંથી નિવૃત્ત IPS એક પુસ્તક લખવા જઈ રહ્યા છે. આ સિવાય આ ઘટના બહુ જૂના મેગેઝીનમાં પ્રકાશિત થવા જઈ રહી છે.પુસ્તક અને મેગેઝિન સાથે સંકળાયેલા લોકોએ એસએસપી પંકજ ભટ્ટને મળીને હત્યાકાંડની સંપૂર્ણ વિગતો નોંધી છે.

મને મુંબઈથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાને વેબ સીરિઝનો ડાયરેક્ટર ગણાવ્યો હતો. તેમણે અંકિત હત્યા કેસ અંગે પૂછપરછ કરી હતી. આ પછી સંબંધિત વ્યક્તિએ હલ્દવાની આવીને મળવાનું કહ્યું છે. એક નિવૃત્ત IPS અને જૂના મેગેઝિન સાથે સંબંધિત વ્યક્તિએ પણ હત્યાકાંડ પર વાર્તા લખવાની વાત કરી છે. તેવું હલ્દવાનીનાં SSP પંકજ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img