Saturday, Sep 13, 2025

૧૦ ઓગસ્ટ / નોકરી મળી જશે, પ્રમોશનની તકો વધશે, આ રાશિના જાતકોને ગુરુવાર કરાવશે અણધાર્યો ફાયદો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

3 Min Read

મેષઃ આત્મવિશ્વાસ માં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃધ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને. સાંસારીક જીવનમાં પ્રેમ વધે. ધંધામાં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ નવા કપડાં ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગરીમાં પ્રગતિ. આર્થિક સ્થિરતા મળે. ધંધા-રોજગાર માં પ્રગતિ થાય. અભિમાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચ માં ઘટાડો જણાય.

‌મિથુનઃ આકસ્મિક ધનહાનિ ના યોગ બને છે. શેરબજાર માં રોકાણ ટાળવું. કોર્ટ-કચેરી સરકારી કામકાજ માં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવાર માં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવક નું પ્રમાણ વધતુ જણાશે. ભાઈ-બહેન-પરિવાર ના સભ્યો સાથે મનમેળ  રહેશે. માતૃસુખ સારૂ. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂ રહેશે.

‌સિંહઃ અભિમાન માં વધારો થાય. સિધ્ધાંતવાદી વલણ રહે. ભાઈ-બહેન-પરિવારના સભ્યો તરફથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યક્તિથી સાચવવું.

કન્યાઃ દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્ય નો શોખ વધે. વાણી થકી નવા સંબંધો બને. માતાની તબિયત ની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ સફળતા માટે સંઘર્ષ કરવો જરૂરી બનશે. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું, અન્યથા પકડાઈ જવાશે. લીવર નબળુ રહે. પાચન શક્તિ મંદ પડે. પ્રવાસ-યાત્રા માં અસંતોષ રહે.

વૃ‌શ્ચિકઃ વિવેક પૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફ્યુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન-વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમ માં વધારો થાય.

ધનઃ મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવારમાં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાક નો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ દિવસની શરૂઆત આનંદ થી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતોથી લાભ. કુટુંબ માં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમસંબંધ માં હો, તો પ્રેમનો એકાકાર શક્ય બને.

કુંભઃ નિર્ણય શક્તિ વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શા‌ંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નિ ના સંબંધો માં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું. અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ પરિવાર સાથે જલસો. મન ની ઉચ્ચ કોટિની ભાવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રીરોગો થી સાચવવું. આકસ્મિક ધનલાભનો રોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિ થી પસાર કરી દેવો.

આ પણ વાંચો :-
Share This Article