A family in Rajasthan’s Bhilwara
- પ્રેમી સાથે ભાગી જતા રાજસ્થાનના ભીલવાડાના એક પરિવારે ભારે હૈયે જીવતેજીવ દીકરીના નામનું નાહી નાખીને તેનું બારમું પણ કરી નાખ્યું હતું.
પ્રેમી સાથે ભાગીને લગ્ન કરી લેવાથી પરિવાર દીકરી સામે ભારે નારાજ હોય તે સમજી શકાય તેવી છે. એ તો જેની દીકરી ભાગી ગઈ હોય તે માતાપિતાને ખબર પડે કે કેવી સ્થિતિ થાય છે. દીકરીના ભાગી જવાથી પરિવાર ગમે તેવું પગલું પણ ભરી લેતો હોય છે. રાજસ્થાનના (Rajasthan) ભીલવાડાના એક પરિવારે આઘાત અને શોકમાં આવું જ પગલું ભર્યું અને તેમણે જીવતેજીવ દીકરીને મરેલી સમજીને તેનું બારમું પણ કરી નાખ્યું.
મળી તો પરિવારને ઓળખવાની ના પાડી :
રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં એક યુવતી પોતાની જ જ્ઞાતિના યુવકને લઈને ઘરેથી ભાગી ગઈ હતી. પરિવારની ફરિયાદ પરથી પોલીસને યુવતી મળી આવી હતી. પરિવારના સભ્યોની હાજરીમાં યુવતી સાથે વાત કરવામાં આવી હતી. યુવતીએ પરિવારને ઓળખવાની ના પાડી અને તે યુવક સાથે જતી રહી.
દીકરીની વાત સાંભળીને પરિવાર થયો ખૂબ દુખી :
દીકરીના આ નિર્ણયથી પરિવાર એટલો દુઃખી થયો કે તેમણે પોતાની દીકરીને મૃત માની લીધી છે અને મોટો નિર્ણય લઈને તેના નામે શોક સંદેશ છાપ્યો છે. આમાં લોકોને પુત્રીના મૃત્યુ પછી અને 13 દિવસ પછી ગોરની (મૃત્યુ પર્વ) માં ભાગ લેવા આમંત્રણ અપાયું છે લોકોને મૃત્યુ ભોજના કાર્ડ પણ મોકલી આપવામાં આવ્યાં હતા.
સોશિયલ મીડિયા પર કાર્ડની ચર્ચા :
જીવતેજીવ દીકરીના નામનું બારમું કરવાના પરિવારના નિર્ણય અને શોક સંદેશવાળું કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે જેના બારમાની તારીખ લખેલી જોવા મળે છે.
#भीलवाड़ा के रतनपुरा गांव में भेरूलाल जी लाठी की सुपुत्री प्रिया जाट 18 की होते ही अपने ब्वॉयफ्रेंड के साथ भाग गई । और थाने में अपने मां बाप के लिए कहा की में इनको नही जानती हु। इसके बाद परिवार ने उसकी गोर्नि की चिट्टिया बाट दी। बहुत अच्छी पहल ऐसी औलादों के लिए यही अच्छा है🙏🏼 pic.twitter.com/vDkVAlcgMD
— MANISH CHOUDHARY⚡ (@Manish_Jat_) June 4, 2023
શું બની હતી ઘટના :
ભીલવાડાના રતનપુરા ગામની પ્રિયા જાટ પોતાના પરિવારની મરજી વિરુદ્ધ પોતાની પસંદગીના યુવક સાથે ઘરેથી ભાગી ગઈ. આના પર પરિવારજનોએ હમીરપુર પોલીસ સ્ટેશનમાં પ્રિયાના ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસે પ્રિયાને શોધીને તેના પરિવારની હાજરીમાં તેની સાથે વાત કરી તો તેણે પોતાના પરિવારને ઓળખવાની ચોખ્ખી ના પાડી દીધી અને બોયફ્રેન્ડ સાથે જતી રહી. આ પછી પરિવારજનોએ કહ્યું કે અમારી દીકરી મરી ગઈ છે અને તેમણે શોક સંદેશ છાપ્યો અને લખ્યું કે પ્રિયાનું નિધન થઈ ગયું છે. શોક સંદેશમાં પ્રિયાનું મૃત્યુ 1 જૂન, 2023ના રોજ લખવામાં આવ્યું હતું અને મૃત્યુની તારીખ 13 જૂને રાખવામાં આવી છે.
આ પણ વાંચો :-