HomeNationalબિહારના પૂર્વ CM લાલુ યાદવની તબિયત નાજુક, દીકરા તેજસ્વીએ કહ્યું આખું શરીર...

બિહારના પૂર્વ CM લાલુ યાદવની તબિયત નાજુક, દીકરા તેજસ્વીએ કહ્યું આખું શરીર લોક થઈ ગયું છે…

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

Former CM of Bihar Lalu Yadav

  • પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુ પ્રસાદ યાદવની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને એઈમ્સમાં ખસેડવામાં આવ્યા

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને (Lalu Prasad Yadav) બુધવારે રાત્રે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી AIIMSમાં ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અત્યાર સુધી તેઓ પટનાની (Patna) પારસ હોસ્પિટલમાં (Paras Hospital) સારવાર લઈ રહ્યા હતા. જ્યાં તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને એઈમ્સમાં ખસેડવામાં આવ્યા હતા. લાલુની સાથે નાના પુત્ર તેજસ્વી યાદવ (Tejaswi Yadav) અને પત્ની રાબડી દેવી પણ દિલ્હી પહોંચ્યા છે. લાલુના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા તેજસ્વી યાદવે કહ્યું, ‘તેમના શરીરમાં કોઈ હલચલ નથી. સાથે જ રાબડી દેવીએ (Rabdi Devi) કહ્યું, ‘જે લોકો લાલુ પ્રસાદને પ્રેમ કરે છે તેઓ નારાજ ન થાય. તેમની તબિયત પહેલા કરતા સારી છે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરે છે.

શું કહ્યું લાલુ પ્રસાદ યાદવના પુત્રએ ? 

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું, ‘તેમને પટનાથી દિલ્હી લાવવામાં આવ્યા છે કારણ કે, એમ્સના ડોક્ટરો તેમની બીમારીનો ઈતિહાસ પહેલાથી જ જાણે છે. પટનામાં માતાના ઘરે પડતી વખતે શરીરમાં ત્રણ ફ્રેક્ચર થયા હતા. જેના કારણે તેમનુ શરીર પર લોક થઈ ગયું છે. શરીરમાં કોઈપણ પ્રકારની હલનચલન થતી નથી. તેજસ્વીએ કહ્યું, પિતા લાલુને ઘણી દવાઓ આપવામાં આવી રહી છે. હવે એમ્સમાં તેમનું સંપૂર્ણ ચેકઅપ થશે. ત્યાર બાદ ડોક્ટરોની ટીમ આગળ કેવી રીતે આગળ વધવું તે નક્કી કરશે.

લાલુ યાદવને સિંગાપોર લઈ જવાશે ? 

તેજસ્વી યાદવે કહ્યું, ‘જો પિતાની તબિયત પહેલા કરતા સારી થશે તો તેમને સિંગાપોર લઈ જવામાં આવશે. આ અંગે તબીબો સાથે ચર્ચા કરવામાં આવશે. ત્યાં તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટની ચર્ચા ચાલી રહી છે. તેજસ્વીએ કહ્યું કે, તેમનું ક્રિએટિનાઇન 4ની આસપાસ હતું, જે હવે વધીને 6 થી ઉપર પહોંચી ગયું છે. છાતીમાં પણ તકલીફ હતી. બે-ત્રણ દિવસથી તાવ હતો. દવાઓના વધુ પડતા ડોઝને કારણે પણ અસ્વસ્થતા જોવા મળી હતી. એટલા માટે અચાનક તેમને ઈમરજન્સીમાં દિલ્હી એઈમ્સમાં લાવવામાં આવ્યા છે. હાલ સ્થિતિ સારી છે.

નોંધનીય છે કે, RJD સુપ્રીમો લાલુ યાદવ રવિવારે મોડી સાંજે પત્ની રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાન પર પોતાના રૂમની સીડી ચડતી વખતે પડી ગયા હતા. જેના કારણે તેમના જમણા ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને પીઠમાં પણ ઘણી ઈજા થઈ હતી. અસ્થિભંગની સારવાર બાદ તેઓ રાબડીના ઘરે આવ્યા હતા. પરંતુ રવિવારે રાત્રે જ તેઓ બેચેની અનુભવવા લાગ્યા હતા. જ્યારે સમસ્યા ઘણી વધી ગઈ ત્યારે તેને સોમવારે સવારે 3:30 વાગ્યે પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો –

Subscribe

Latest stories

spot_img