Thursday, May 22, 2025

દિલ્લીમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 4નાં મૃત્યુ, 25 થી વધું લોકો ફસાયાની આશંકા

2 Min Read

દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે 3 વાગ્યે એક ચાર માળની ઇમારત ધરાશાયી થતાં ચાર લોકોના મોત થયા છે. કાટમાળ નીચે દટાયેલા 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ 15થી 25 લોકો દટાયેલા હોવાની આશંક્ા છે. ઘટના સ્થળે NDRF, ડોગ સ્ક્વોડ અને પોલીસ ટીમે રાહત અને બચાવ કાર્ય ચાલુ કરી દીધું છે.

દિલ્હીના ન્યુ મુસ્તફાબાદમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. કાટમાળ નીચે 10 થી 25 લોકો દટાયા હોવાની આશંકા છે. NDRF અને ફાયર વિભાગના જવાનોએ કાટમાળમાંથી 4 મૃતદેહો બહાર કાઢ્યા છે. રેસ્ક્યુ ટીમ દ્વારા રાહત કાર્ય ચાલી રહ્યું છે.

ડિવિઝનલ ફાયર ઓફિસર રાજેન્દ્ર અટવાલે જણાવ્યું હતું કે, “અમને સવારે 2:50 વાગ્યે એક મકાન ધરાશાયી થવાની માહિતી મળી હતી. અમે સ્થળ પર પહોંચ્યા અને જોયું કે આખી ઇમારત પડી ગઈ હતી અને અમને કાટમાળ નીચે લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી. NDRF, દિલ્હી ફાયર સર્વિસ લોકોને બચાવવાનું કામ કરી રહી છે.”

શનિવારે વહેલી સવારે મુસ્તફાબાદ વિસ્તારના શક્તિ વિહાર વિસ્તારમાં એક બે માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર એક દુકાન છે. બાકીના બે માળ પર ત્રણ પરિવારોના લગભગ 15 જેટલા લોકો રહેતા હતા.જેમાં એક પરિવારના સભ્યો કાટમાળમાં દટાયેલા હોવાનું જણાવાઈ રહ્યું છે. અન્ય લોકો બહાર આવી ગયા છે. કાટમાળ દૂર કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે.

Share This Article