HomeNationalUAEમાં 25 ભારતીયોને મળી મોતની સજા, વિદેશ રાજ્ય મંત્રીએ સંસદમાં રજૂ કર્યા...

UAEમાં 25 ભારતીયોને મળી મોતની સજા, વિદેશ રાજ્ય મંત્રીએ સંસદમાં રજૂ કર્યા આંકડા

Date:

Related stories

જે જગ્યાએ નેપાળમાં સર્જાઈ તબાહી, ત્યાંથી થોડા કલાક પહેલાં જ નીકળી ગયા આટલા ગુજરાતી

નેપાળ-તિબેટ સરહદે આવેલા ભોટેકોશી નદી વિસ્તારમાં આવેલા વિનાશક પૂર...

હવે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી Instagram-Facebook નહીં ચાલે! જાણો કોના માટે લાગુ પડશે

રાત્રે સૂવાના સમયે Reels અને Facebook સ્ક્રોલ કરવાની કિશોરોની...

27 ઓગસ્ટ 2026 રાશિફળ: કોને મળશે ધનલાભ અને કોના અટકેલા કામ થશે પૂર્ણ ?

આજનો દિવસ ૧૨ રાશિઓ માટે અલગ-અલગ સંભાવનાઓ લઈને આવ્યો...
spot_img

સરકારે ગુરુવારે સંસદમાં માહિતી આપી કે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં 25 ભારતીયોને મોતની સજા સંભળાવવામાં આવી છે, પણ હજી સુધી આ નિર્ણય પર અમલ કરવામાં આવ્યો નથી. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે રાજ્યસભામાં લેખિત ઉત્તરમાં આ માહિતી આપી. વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું હતું કે શું અનેક ભારતીય વિદેશની જેલોમાં વર્ષોથી કેદ છે? સાથે જ વિદેશમાં મોતની સજા માટે રાહ જોતા ભારતીયોની માહિતી પણ પૂછવામાં આવી હતી અને તેમની જીવ બચાવવા માટે સરકાર દ્વારા કરાયેલા પ્રયાસોની વિગતો માંગવામાં આવી હતી.

વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું કે, “મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી મુજબ, હાલ વિદેશી જેલોમાં કેદ 10,152 ભારતીયો છે, જેમાં ઘણા વિચારાધીન કેદીઓ પણ સામેલ છે.” તેમણે કહ્યું કે વિદેશી જેલોમાં બંધ ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સરકાર ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. મંત્રીએ 8 દેશોના આંકડા રજૂ કર્યા અને એ પણ જણાવ્યું કે કેટલાં ભારતીયોને મોતની સજા ફટકારી દેવાઈ છે, પણ હજી અમલ થયો નથી.

આંકડા મુજબ, યુએઈમાં 25, સાઉદી અરબમાં 11, મલેશિયામાં 6, કુવૈતમાં 3, અને ઈન્ડોનેશિયા, કતાર, અમેરિકા અને યમનમાં 1-1 ભારતીયને મોતની સજા ફટકારી દેવાઈ છે. મંત્રીએ જણાવ્યું કે વિદેશમાં ભારતીય મિશન/પોસ્ટ દ્વારા તે તમામ ભારતીયોને મદદ કરવામાં આવે છે, જેમને સ્થાનિક અદાલતોએ મોતની સજા સહિત વિવિધ દંડ ફટકાર્યા છે. ભારતીય મિશન જેલ મુલાકાતે જઈને કાઉન્સેલિંગ પહોંચાડે છે અને અદાલત, જેલ, પ્રોસિક્યુટર અને અન્ય સંબંધિત એજન્સીઓ સાથે તેમના કેસોની દેખરેખ રાખે છે. તેમજ તેઓને અપીલ, દયા અરજી વગેરે માટે કાયદેસરની સહાયતા પણ આપવામાં આવે છે.

વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ ભારતીયને વિદેશમાં મોતની સજા થઈ છે કે નહીં? મંત્રીએ જવાબ આપ્યો કે મલેશિયા, કુવૈત, કતાર અને સાઉદી અરબમાં આવું થયું છે. 2024માં કુવૈત અને સાઉદી અરબમાં 3-3 ભારતીયોને, જ્યારે જિંબાબ્વેમાં 1 ભારતીયને મોતની સજા ફટકારવામાં આવી હતી. 2023માં કુવૈત અને સાઉદી અરબમાં 5-5 ભારતીયોને, જ્યારે મલેશિયામાં 1 ભારતીયને મોતની સજા ફટકારવામાં આવી હતી.

Subscribe

Latest stories

spot_img