Friday, Apr 25, 2025

છત્તીસગઢના બીજાપુરમાં 22 નકસલી ઠાર, એક જવાન શહીદ

1 Min Read

ભારતના વિવિધ રાજ્યોમાં નક્સલવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. જેમાં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. બીજાપુર અને દંતેવાડામાં સુરક્ષાદળોએ નક્સલીઓ પર મોટો હુમલો કર્યો છે અને બે અલગ-અલગ કાર્યવાહીમાં 22 નક્સલીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન દરમિયાન એક સૈનિક પણ શહીદ થયા છે. સુરક્ષા દળોએ એન્કાઉન્ટર સ્થળ પરથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.

સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે બે અલગ અલગ કાર્યવાહીમાં સુરક્ષા દળોની ટીમે 22 નક્સલીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોની ટીમે બીજાપુરમાં 18 અને કાંકેરમાં 4 નક્સલીઓને ઠાર માર્યા છે.

છત્તીસગઢના બીજાપુરમાં માઓવાદનો અંત લાવવા માટે સૈનિકો સતત જંગલોમાં ફરી રહ્યા છે જેમાં તેમને સફળતા પણ મળી છે. માઓવાદીઓ સતત થઈ સૈનિકોનો નુકસાન પહોંચાડવાની રણનીતિઓ ઘડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલીક જગ્યાએ નક્સલવાદીઓ સૈનિકો સાથે એન્કાઉન્ટર કરવાનો અથવા સૈનિકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ પછી પણ તે સફળ થયા નથી. ત્યારે આજે ગંગાલૂર અને દંતેવાડાના જંગલોમાં સૈનિકો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ એન્કાઉન્ટરમાં સૈનિકોએ 18 નક્સલીઓને ઠાર માર્યા છે.

Share This Article