HomeNationalછત્તીસગઢના દુર્ગમાં બસ ૫૦ ફૂટ ખીણમાં ખાબકતા ૧૨ લોકોના મોત, ૨૦થી વધુ...

છત્તીસગઢના દુર્ગમાં બસ ૫૦ ફૂટ ખીણમાં ખાબકતા ૧૨ લોકોના મોત, ૨૦થી વધુ ઘાયલ

Date:

Related stories

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...

છ વર્ષ બાદ ભારત અને ચીન દ્વારા લેવાયો આ મુદ્દા પર નિર્ણય!

છ વર્ષથી અટવાયેલી ભારત અને ચીન વચ્ચેની સીધી હવાઈ...

વર્ષો પહેલાં અરજી છતાં કેમ BRICSમાં પાકિસ્તાન બહારનું બહાર?

પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી BRICSમાં સામેલ થવા માટે પ્રયાસ...
spot_img

છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે રાત્રે કર્મચારીઓથી ભરેલી બસ ૫૦ ફૂટ ઊંડા ખાણના ખાડામાં પડતાં ૧૨ લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છે. આ કર્મચારીઓ કેડિયા ડિસ્ટિલરી કંપનીમાં કામ કરતા હતા. દુર્ઘટના બાદ કંપનીએ મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા, એક સભ્યને નોકરી અને ઘાયલોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવાનું વચન આપ્યું છે. પીએમ મોદી અને રાજ્ય પ્રમુખ વિષ્ણુ દેવ સાંઈએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

દુર્ઘટના કુમ્હારીના ખાપરી રોડ પર મુરુમ ખાણ પાસે થઈ હતી. તમને જણાવી દઈએ કે કેડિયા ડિસ્ટિલરી કંપનીના કર્મચારીઓ પ્લાન્ટમાંથી કામ કરીને બસ દ્વારા ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બસ બેકાબુ થઈ ગઈ અને ૫૦ ફૂટ ઊંડા ખાણના ખાડામાં પડી હતી. આ અકસ્માત થયો ત્યારે બસમાં ૪૦ કર્મચારીઓ હતા. દુર્ઘટના બાદ સીએમ વિષ્ણુ દેવે કહ્યું કે દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર હાલમાં SDRF અને પોલીસની ટીમ આ દુર્ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. આ સાથે ઘટના સ્થળે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બસ પરત ફરતી વખતે ખાપરી રોડ પર પારાની ખાણની મુરુમ ખાણમાં પડી હતી.

પીએમ મોદી ઉપરાંત રાજ્યના સીએમ વિષ્ણુ દેવ સાઈએ પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે દુર્ગના કુમ્હારી પાસે એક ખાનગી કંપનીના કર્મચારીઓથી ભરેલી બસના અકસ્માત અંગે દુઃખદ માહિતી મળી છે.આ અકસ્માતમાં ૧૨ કર્મચારીઓના મોતના સમાચાર મળી રહ્યા છે. હું મૃતકના આત્માને શાંતિ અને શોકગ્રસ્ત પરિવારોને શક્તિ આપે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું.અકસ્માતમાં ઘાયલ થયેલા કર્મચારીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.તેમના ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું.

Subscribe

Latest stories

spot_img