સુરતના જહાંગીરપૂરા વિસ્તારમાંથી હચમચાવતી ઘટના સામે આવી છે. જહાંગીરપૂરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦માં માળેથી ફેંકી દઈને હત્યા કરી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવકે યુવતીને ૧૦મા માળેથી નીચે ફેંકીને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ બનાવ જહાંગીરપુરાના પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસનો છે.
જૂનેદ નૂર મોહમ્મદે નામના યુવકે યુવતીની હત્યા કરી હતી. યુવતીની નીચે પટકાવવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. યુવતીએ યુવકના નાના ભાઈ સાથે સગાઈ તોડતા યુવકે બદલો લીધો છે. સગાઈ તોડ્યા બાદ આરોપી યુવક અને યુવતી સોશિયલ મીડિયામાં સંપર્કમાં હતા. જેમાં યુવકે અદાવત રાખી યુવતીને બોલાવી ઝગડો કર્યો હતો. અત્રે જણાવીએ કે, પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બુરખો પહેરીને આવેલી ૨૮ વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહએ છરાથી ઘાતકી હુમલો કર્યો હતો. અને આ બાદ યુવતી દસમા માળેથી જાતે કૂદી ગઈ અને આપઘાત કરી લીધો હતો. યુવતીનું આ બાદ મોત થયું હોવાનું યુવકનું રટણ રહ્યું હતું. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં એક યુવક અનુસાર યુવતીએ લાવેલું કોલ્ડ્રિંક્સ પીવાની ના પાડતાં યુવતીએ યુવક પર હુમલો કર્યો હતો. યુવતીએ ચપ્પુ વડે યુવક પર હુમલો કર્યો હતો અને આ બાદ યુવતી ૧૦માં માળથી કૂદી ગઈ અને તેણે આપઘાત કરી લીધો. જો કે સુરત પોલીસ આ મામલે ઊલટ તપાસ કરી સત્ય ઘટના સામે લાવી દીધી છે.
આ પણ વાંચો :-