સુરતમાં એક્સપ્રેસ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ભંગારના બેપારીની અટક

Share this story

સુરત રેલ્વે સ્ટેશનથી ઉપાડીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે આ પ્રયાસ નિષ્ફળ થયો છે. રેલ્વે પોલીસે આ ઘટનામાં બે શખ્સોની અટકાયત કરી છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલ્વે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ હતી. આ દરમિયાન ટ્રેનને ઉથલાવવાનો હેતુથી ટ્રેનના પાટા પીએઆર કોઈ એક લોખંડનો પાઇપ મૂક્યો હતો.

સુરતમાંથી વધુ એક મોટી દૂર્ઘટના ટળી છે, પોલીસે સમયસૂચકતા વાપરતાં મોટી ટ્રેન દૂર્ઘટના ટાળી છે, ખરેખરમાં બે શખ્સો દ્વારા સુરતમાંથી નીકળતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેનને ઉથલાવી મારવાનો કારસો રચાયો હતો, જોકે, આ મામલે બાતમી મળતા જ રેલવે પોલીસે બે શખ્સોમાંથી એકની ધરપકડ કરી લીધી છે, અને એક ફરાર થઇ ગયો છે.

પોલીસ તપાસમાં બે ભંગારીયાઓનું કારસ્તાન સામે આવ્યું હતું. રેલવેની હદમાંથી ચોરેલા લોખંડનો પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મુક્યો હતો. ભંગારના વેપારીએ પાઇપ લાંબો હોવાથી ખરીધો નહોતો. જેથી પાઇપ કટિંગ કરવા બંને શખ્સોએ રેલવે ટ્રેક પર મુક્યો હતો. વધુ તપાસ રેલ્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરત રેલવે સ્ટેશનથી આ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન સાંજે ૫:૪૫ કલાકેથી ઉપડીને અમદાવાદ તરફ જઈ રહી હતી, તેવામાં આ બન્ને શખ્સોએ ટ્રેનને સુરત -ઉત્રાણ વચ્ચે ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રેલવે પોલીસને જાણ થઇ જતાં સમગ્ર કારસાને નિષ્ફળ બનાવ્યુ હતુ. પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી તે સમયે શહેરના કતાર ગામના કાંસાનગર પાસે પે એન્ડ યૂઝ ટૉઇલેટની પાસે ઉભેલા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો, જેનું નામ રામજી કોરડિયા છે, જોકે, બીજો આરોપી ફરાર થઇ ગયો હતો. પોલીસે લોકોના જીવ જોખમમાં મુકવા બદલ આ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-