HomeInternationalયુદ્ધમાં એક પણ ભારતીયનું મોત થયું નથીઃ ઇઝરાઇલી કોન્સ્યુલેટ જનરલ

યુદ્ધમાં એક પણ ભારતીયનું મોત થયું નથીઃ ઇઝરાઇલી કોન્સ્યુલેટ જનરલ

Date:

Related stories

નેપાળમાં તબાહી બાદ આ રાજ્યમાં હાઇ એલર્ટ! આટલાં જિલ્લાઑમાં વધ્યું પૂરનું જોખમ

નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ હવે બિહારના નદી...

VIDEO: 110ની સ્પીડે Porsche લઈને નીકળ્યો હતો પાયલટ, ડેશકેમ વીડિયોએ ખોલી પોલ

અમદાવાદના વ્યસ્ત રસ્તા પર અચાનક સામેથી ધસી આવેલી Porsche...

પાકિસ્તાનમાંથી ભારત શા માટે આવી 150 દુલ્હનો? કારણ જાણશો તો ચોંકી જશો

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો, સરહદો બંધ થઈ અને વીઝા...

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...
spot_img

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાં રહેતા ભારતીયોની મુસીબતો વધી ગઈ છે. ઇઝરાયલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે. આ તરફ મુંબઈમાં ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, ઇઝરાયલ સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ ભારતીય જાનહાનિની ​​કોઈ માહિતી નથી. ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલય ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં વ્યસ્ત છે.

ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઇઝરાયલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે તો હું અંગત રીતે આ બાબતની તપાસ કરીશ. ઇઝરાયલમાં 20,000થી વધુ ભારતીયો રહે છે. મને ત્યાં ફસાયેલા ભારતીયોની ચોક્કસ સંખ્યા ખબર નથી. ઇઝરાયલમાં રહેતા મોટાભાગના ભારતીયો તેલ અવીવમાં રહે છે. દર વર્ષે અહીંથી હજારો લોકો તીર્થયાત્રા માટે જેરુસલેમ પણ જાય છે.

જ્યારે શનિવારે હમાસે હુમલો કર્યો ત્યારે ઇઝરાયલમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા કલાકારો હાજર હતા. તાજેતરમાં જ અભિનેત્રી નુસરત ભરૂચા સુરક્ષિત રીતે ભારત પરત આવી છે. આ સંઘર્ષ શનિવારે ત્યારે શરૂ થયો જ્યારે હમાસના ઉગ્રવાદીઓએ ઇઝરાયલમાં ઘૂસીને લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જેના કારણે દાયકાઓમાં પ્રથમ વખત ઈઝરાયેલની સડકો પર મોટાપાયે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંને તરફથી 2100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ભારતે ઇઝરાયલથી ભારત પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયલ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ બંધ થવાને કારણે ત્યાં ફસાયેલા ભારતીયો ઇચ્છે તો પણ પરત ફરી શકતા નથી. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, ઇઝરાયલથી પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે ‘ઓપરેશન અજય’ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img