HomeGujaratભારતે કેનેડાને ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવી કેમ ચીમકી આપી 

ભારતે કેનેડાને ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવી કેમ ચીમકી આપી 

Date:

Related stories

Blinkit Laddu Controversy: સુરતમાં ફૂગવાળા લાડુ મળ્યાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ફૂડ સેફ્ટિ પર સવાલ

સુરતમાં તહેવારની પ્રસાદી માટે મંગાવેલા મોતીચૂરના લાડુનો બોક્સ ખોલતાં...

આ સૂર્ય આકાશમાં નથી… ગુજરાતની લેબમાં છે! ભારતે શરૂ કર્યો મોટો પ્રયોગ

ચાંદ-તારા તોડવાની વાતો તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ...

VIDEO:₹3,300 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા ભાજપના ધારાસભ્ય કેમ બન્યા ભિખારી?

નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ કહેવત તો ઘણા લોકો...
spot_img

ભારતે કડક વલણ અપનાવતા કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે. ભારતે કેનેડાને નિજજરની હત્યામાં સામેલગિરી અંગે પુરાવા નહી આપે તો  ૧૦ ઓક્ટોબર સુધીમાં ૪૧ રાજદ્વારીઓને પાછા બોલાવી લેવાની ચીમકી આપી  છે

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદમાં  ભારતે કડક વલણ અપનાવતા કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને પરત બોલાવવા કહ્યું છે.  ભારતે કેનેડાને તેના ૪૧ રાજદ્વારીઓને ૧૦ ઓક્ટોબર સુધીમાં પાછા બોલાવવા કહ્યું છે. ગયા અઠવાડિયે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક નિવેદન આપ્યું હતું જેમાં ભારત સરકાર પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, ભારતે આ દાવાઓને વાહિયાત ગણાવતા અને રાજકીય દ્વેષથી પ્રેરિત ગણાવીને સદંતર ફગાવી દીધા છે.

આ સંદર્ભે ભારતે કેનેડિયન રાજદ્વારીઓની રાજદ્વારી પ્રતિરક્ષા રદ કરવાની ધમકી આપી છે જેમને ૧૦ ઓક્ટોબર પછી દેશ છોડવાનું કહેવામાં આવ્યું છે.  ભારતમાં કેનેડાના ૬૨ રાજદ્વારીઓ  છે. ભારતે કહ્યું છે કે કેનેડિયન રાજદ્વારીઓની કુલ સંખ્યા ઘટાડીને ૪૧ કરવી જોઈએ. ભારત અને કેનેડાના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે કેનેડાએ પહેલા ભારતીય રાજદ્વારીઓ સામે હિંસા અને ડરાવવાનું વાતાવરણ ઊભું કર્યું. તેમણે કહ્યું કે કેનેડામાં શીખ અલગતાવાદી જૂથોની હાજરીએ નવી દિલ્હીને નિરાશ કર્યું છે.

થોડા દિવસો પહેલા અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને વિદેશ મંત્રી એસ જયશંકર સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો. બ્લિંકને કહ્યું કે આ ઘટના પાછળ જવાબદાર લોકો જવાબદાર હોવા જોઈએ. ઉલ્લેખનીય છે કે કેનેડાએ હજુ સુધી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના દાવાને સમર્થન આપતા કોઈ જાહેર પુરાવા આપ્યા નથી.

Subscribe

Latest stories

spot_img