શું વધારે પડતું પાણી પીવાથી મોટાપો દૂર થઈ જશે ? શું કહે છે વિજ્ઞાન, જાણો નિષ્ણાંતના મતે

Share this story
  • અમુક એક્સપર્ટનું કહેવું છે કે વધારે પાણી પીવાથી સ્થૂળતા દૂર થાય છે. અમુક સ્ટડીમાં પણ આ વાત સામે આવી છે. પરંતુ હકીકત શું છે આવો જાણીએ..

વજન ઓછુ કરવું એક મોટો પડકાર છે. વજન ઓછુ કરવા માટે સૌથી પહેલા ભુખ પર કંટ્રોલ કરવો પડે છે. જો તમે પહેલાની જેમ જ ભોજન લેશો તો વજન ઓછુ નહીં કરી શકો. ઘણા લોકોનું માનવું છે કે ભૂખ પર કંટ્રોલ કરવા માટે વધારે પાણી પીવું ખૂબ જ બેસ્ટ આઈડિયા છે.

વધારે પાણી પીને વધારે કેલેરીને બર્ન કરી શકાય છે અને તેનાથી ભૂખ પણ નથી લાગતી. અમુક અભ્યાસમાં પણ આ વાત સામે આવી છે કે વધારે પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ શું વધારે પાણી પીને આપણે વજનને ઘટાડી શકીએ છીએ ?

વધારે પાણી પીવાથી ઘટે છે વજન ?

એક્સપર્ટ અનુસાર અમુક લોકો વજન ઓછુ કરવા માટે વોટર ફાસ્ટિંગ કરે છે. તેમાં પાણી સિવાય કંઈ નથી લેતા. તેનાથી વજન ઓછુ થઈ શકે છે પરંતુ અન્ય ઘણી મુશ્કેલીઓ થઈ શકે છે. અચાનક શરીરમાં વધારે પાણી આવવાથી સોડિયમ ઘટી શકે છે. તેનાથી સડેન ડેથ પણ થઈ શકે છે. થોડા સમય પહેલા એક સેલીબ્રિટીનું મોત આ કારણે થયું હતું.

માટે વોટર ફાસ્ટિંગ કરવું વધારે સારો વિકલ્પ નથી. જો આ કોઈ નિષ્ણાંતની દેખરેખ હેઠળ કરવામાં આવે તો તેનાથી અપેક્ષિત પરિણામ મળી શકે છે. જો ભોજનની સાથે વધારે પાણી પીવામાં આવે તો એક હદ સુધી સ્થૂળતા ઓછી થઈ શકે છે. પરંતુ કોઈ પણ વસ્તુથી એકી ઝાટકે વજન ઓછુ નથ થઈ જતું. વજન ઘટતા વાર લાગે છે.

અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરવી જરૂરી :

સ્થૂળતા માટે ભોજન, ફિઝિકલ એક્ટિવિટી ન કરવી, પુરતી ઉંઘ ન લેવી અને સ્ટ્રીસ વધારે જવાબદાર છે. માટે આ બધી વસ્તુઓ પર એક સાથે ધ્યાન આપીને સ્થૂળતા ઘટાડી શકાય છે. જ્યાં સુધી વધારે પાણી પીવાની વાત છે તો એ તો સોચ્ચસ વાત છે કે જ્યારે આપણે વધારે પાણી પીએ છીએ તો ખાવાની ઈચ્છા ઓછુ થઈ જાય છે અને જ્યારે આપણે ઓછુ ખાઈએ છીએ તો વજન પણ ઓછુ થાય છે.

શરીરની અંદર પોષણ ન જાય તો કેલેરી વધારે નથી મળતી. તેનાથી વજન ઓછુ થાય છે. તે રીતે જોઈએ તો એક હદ સુધી તેનાથી થોડુ વજન પણ ઓછુ થઈ શકે છે પરંતુ ફક્ત આજ એક વસ્તુથી સ્થૂળતાને ઓછી ન કરી શકાય. માટે બેસ્ટ ઓપ્શન એ છે કે સ્થૂળતા ઓછી કરવા માટે ઘણી વસ્તુઓ પર કામ કરવું જરૂરી છે.

આ પણ વાંચો :-