HomeSportsશા માટે નહીં રમે પાકિસ્તાન સામેની મેચ કે એલ રાહુલ, કોચ દ્રવિડે...

શા માટે નહીં રમે પાકિસ્તાન સામેની મેચ કે એલ રાહુલ, કોચ દ્રવિડે જણાવ્યું કારણ

Date:

Related stories

સુરતીઓ માટે રાહતના દરવાજા ખૂલ્યા! રાંદેર કોઝવે પર ફરી વાહનવ્યવહાર થશે ચાલુ

સુરતના રાંદેર-સિંગણપોર વિસ્તારમાં રોજ અવરજવર કરતા વાહનચાલકો માટે આજે...

હવે Tower નહીં, સેટેલાઇટથી મળશે Internet! ભારત માટે Satellite Broadbandનો રસ્તો સાફ

આકાશમાંથી સીધું ઇન્ટરનેટ તમારા સુધી પહોંચાડવાનું સપનું હવે અગાઉ...

લ્યો બોલો ભારતીય ક્રિકેટરની બ્રાન્ડના બુટ પહેરી રમ્યું પાકિસ્તાન!

વુમન્સ એશિયા કપ 2026માં પાકિસ્તાન મહિલા ક્રિકેટર નહીં પણ...

વિદ્યાર્થીઓનું ભવિષ્ય વધુ સુરક્ષિત કરવા ગુજરાત સરકાર લાવી શકે છે આ નવો નિયમ

ગુજરાતમાં હવે શાળા સંચાલકોની મનમાની પર કડક લગામ કસવાની...
spot_img
  • Asia Cup 2023 : ટીમ ઈન્ડિયાના બેટસમેન કેએલ રાહુલ એશિયા કપ 2023ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ અંગે પ્રતિક્રિયા આપી છે.

એશિયા કપ ૨૦૨૩ ગુરુવારથી શરૂ થઈ રહ્યો છે. ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે છે. જે ૨ સપ્ટેમ્બરે રમાશે. આ પહેલા ભારતીય કોચ રાહુલ દ્રવિડે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. દ્રવિડે જણાવ્યું કે કેએલ રાહુલ એશિયા કપ ૨૦૨૩ની પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે X (Twitter) પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે.

બીસીસીઆઈએ કેએલ રાહુલને લઈને X પર એક પોસ્ટ શેર કરી છે. આમાં રાહુલ દ્રવિડનું નિવેદન શેર કરવામાં આવ્યું છે. દ્રવિડે કેએલ રાહુલ વિશે કહ્યું, “કેએલ રાહુલની પ્રગતિ ઘણી સારી છે. પરંતુ તે પ્રથમ બે મેચમાં રમી શકશે નહીં. રાહુલ એશિયા કપ ૨૦૨૩માં પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાનારી મેચનો ભાગ નહીં હોય.

કેએલ રાહુલ ઈજામાંથી સાજા થઈને મેદાનમાં પરત ફર્યો છે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ તેમ છતાં એશિયા કપ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. કોચ દ્રવિડ સહિત મેનેજમેન્ટનું સંપૂર્ણ ધ્યાન રાહુલની ફિટનેસ પર છે. આ કારણોસર, તે પ્રથમ બે મેચનો ભાગ નહીં હોય. બીજી બાજુ શ્રેયસ અય્યર છે. અય્યર પણ ઈજામાંથી સાજો થઈને મેદાનમાં પરત ફરી રહ્યો છે. અય્યર સંપૂર્ણ રીતે ફિટ છે અને તે ફિટનેસના તમામ માપદંડોને પૂર્ણ કરે છે.

ટીમ ઈન્ડિયા ૨ સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમાનાર મેચની પ્લેઈંગ ઈલેવનમાં શ્રેયસ અય્યરને જગ્યા આપી શકે છે. તે ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. શુભમન ગિલ આ મેચમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શકે છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img