HomeOffbeatએલર્જીક રાઇનાઇટિસ (નાકની એલર્જી) માં નાકનું ઓપરેશન ક્યારે કરાવવું?

એલર્જીક રાઇનાઇટિસ (નાકની એલર્જી) માં નાકનું ઓપરેશન ક્યારે કરાવવું?

Date:

Related stories

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

Video દિલ ધ્રુજાવી દે તેવી ઘટના:14 નવજાતનાં મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ

માતા-પિતાની આંખોમાં પોતાના નવજાત બાળકને સુરક્ષિત જોવાનું સપનું હતું,...

ઘણા દર્દીઓ પૂછે છે:
“મને એલર્જી છે, તો શું નાકનું ઓપરેશન કરાવવાથી એલર્જી મટી જશે?”

જવાબ છે – નહીં.

નાકનું ઓપરેશન (Nasal Surgery) એલર્જીનો ઈલાજ નથી. તેનું મુખ્ય કામ નાકનો રસ્તો ખુલ્લો કરવો છે.

ક્યારે ઓપરેશનની જરૂર પડે?

  1. દવાની સારવાર છતાં નાક સતત બંધ રહે

એલર્જીની દવા અને નેઝલ સ્પ્રે યોગ્ય રીતે લીધા છતાં રાહત ન મળે.

  1. નાકની અંદર હાડકું વાંકું હોય (Deviated Nasal Septum)

જેના કારણે એક અથવા બંને બાજુથી શ્વાસ લેવામાં તકલીફ રહે.

  1. ટર્બિનેટ્સ (નાકની અંદરનું માંસ) ખૂબ વધેલું હોય

લાંબા સમયથી એલર્જીના કારણે નાકનો રસ્તો સાંકડો થઈ જાય.

  1. નાકમાં પોલિપ્સ ( નાકમાં મસા) (Nasal Polyps) હોય ખાસ કરીને લાંબા સમયથી એલર્જી અથવા સાઇનસની સમસ્યા સાથે.
  2. વારંવાર સાઇનસ ઇન્ફેક્શન થતું હોય

દવા છતાં ફરી ફરી સમસ્યા થાય.

ઓપરેશન પછી શું એલર્જી મટી જાય?

❌ ના.
ઓપરેશન પછી:

  • શ્વાસ લેવામાં સરળતા થાય.
  • નાકની દવાઓ વધુ અસરકારક બને.
  • જીવનની ગુણવત્તા સુધરે.

પરંતુ…

  • છીંક
  • નાકમાંથી પાણી
  • ખંજવાળ
  • એલર્જીની તકલીફ

આ માટે હજુ પણ એલર્જીની યોગ્ય સારવાર જરૂરી રહે છે.

એલર્જીની શ્રેષ્ઠ સારવાર શું છે?

  • ✔️ એલર્જનથી બચવું (Avoid allergens)
  • ✔️ નિયમિત Intranasal Steroid Spray
  • ✔️ જરૂર મુજબ Antihistamine દવા
  • ✔️ Saline Nasal Wash
  • ✔️ યોગ્ય દર્દીઓમાં એલર્જન ઇમ્યુનોથેરાપી એટલે કે એલર્જીની રસી (Allergen Immunotherapy / Allergy Vaccine)

એલર્જીની રસીની સારવારથી એલર્જી મટી શકે છે

યાદ રાખો:
“એલર્જીક રાઇનાઇટિસમાં સર્જરી માત્ર ત્યારે જ કરાવવી જોઈએ જ્યારે નાક કાયમ બંધ રહેતું હોય, દવાથી પણ નાક ખુલતું ના હોય, નાકમાં મસા હોય, નાકનું હાડકુ વાંકું થઈ ગયું હોય, નાકથી પૂરતો શ્વાસ ના લેવાતો હોય, વારંવાર સાઇનસમાં ઇન્ફેકશન થઈ જતું હોય અથવા દવાથી પૂરતી રાહત ન મળતી હોય. સર્જરી એલર્જી દૂર કરતી નથી, પરંતુ શ્વાસ લેવામાં સરળતા અને સારવારને વધુ અસરકારક બનાવવામાં મદદ કરે છે.”

– ડૉક્ટરની સલાહ વિના નાકનું ઓપરેશન કરાવવાનો નિર્ણય ન લો.

Subscribe

Latest stories