HomeSurat Cityસુરતમાં શ્રીજીની 10 પ્રતિમાઓને ખંડિત કરનાર બે મહિલાની કરાઇ ધરપકડ

સુરતમાં શ્રીજીની 10 પ્રતિમાઓને ખંડિત કરનાર બે મહિલાની કરાઇ ધરપકડ

Date:

Related stories

જે ચા વગર સવાર અધૂરી લાગે છે, તે ભારત કેવી રીતે પહોંચી? સુરતનું પણ છે મોટુ કનેક્શન

સવારની પહેલી ચુસ્કીથી લઈને ઓફિસના ચા-બ્રેક સુધી… ભારતમાં ચા...

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...
spot_img

સુરત શહેરમાં ગણેશ ઉત્સવ પહેલા જ અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાની પાછળ કારણ છે કે, ગણેશ મહોત્સવ પહેલા જ સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શ્રીજીની 10 પ્રતિમાઓને ખંડિત કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હવે આ સમગ્ર મામલે બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

17 ઓગસ્ટ 2024ના રોજ સૈયદપુરા વિસ્તારમાં સોની ફળિયા શ્વેતા એપાર્ટમેન્ટમાં ગણપતિની મૂર્તિની દુકાનમાં બાળકો દ્વારા 10 જેટલી ગણેશજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી. બે મહિલા લાઈલા સલીમ શેખ અને રૂબીના ઈરફાન પઠાણ બે બાળકોને દુકાનમાં લાવી હતી અને ત્યારબાદ આ બંને બાળકો દ્વારા ગણેશજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે દુકાનદાર વિશાલ ખલાસીના ભાઈ રાહુલ ખલાસી દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવી હતી અને શ્રીજીની પ્રતિષ્ઠામાં ખંડિત થતાં 60000 જેટલું નુકસાન થયું હોવાનું તેમજ ગણેશજીની પ્રતિમા ખંડિત થતાં ધાર્મિક લાગણી દુભાઈ હોવા બાબતે આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા IPCની કલમ 299, 324 (4), 29 (4) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો હતો અને આ સમગ્ર મામલે રૂબીના પઠાણ અને લાઈલા સલીમ શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને મહિલા ફૂટપાથ પર રહે છે અને ભિક્ષાવૃત્તિ કરવાનું કામ કરે છે.

મહત્વની વાત છે કે, 17 ઓગસ્ટ જે ઘટના હતી તે સમયે ફરિયાદીએ એવું વિચાર્યું હતું કે કદાચ બાળકોએ ભૂલથી આ કામ કર્યું હશે પરંતુ સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ગણેશ પંડાલમાં નાના બાળકોએ ગણેશજીની પ્રતિમા પર પથ્થર ફેંકી પ્રતિમાને ખંડિત કરવાનો જે પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ જે ઘટના બની હતી તે ઘટના ખૂબ ગંભીર હતી. આ ઘટનાને જોઈને ફરિયાદી રાહુલ ખલાસી દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી બે મહિલાની ધરપકડ કરી.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories