HomeNationalકેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જીવથી મારી નાખવાની ધમકી, ક્યાંથી આવ્યો ફોન?

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને જીવથી મારી નાખવાની ધમકી, ક્યાંથી આવ્યો ફોન?

Date:

Related stories

નેપાળ પૂરનો કહેર વધતાં 105 ભારતીયો લાપતા, રેસ્ક્યુ ઓપરેશન તેજ

નેપાળમાં આજે સવારે આવેલા અચાનક ફ્લેશ ફ્લડે થોડા જ...

VIDEO: તિબેટ બોર્ડર પર કાળ બની ભોટે કોશી નદી! નેપાળમાં ભારે તબાહી આવતા હજારો લોકો લાપતા

હિમાલયની સરહદે અચાનક ધસી આવેલા પાણીના પ્રવાહએ નેપાળને હચમચાવી...

પગાર ઓછો હોય તો પણ કરોડનું ફંડ? સમજો SIP નું આખું ગણિત

દર મહિને માત્ર ₹2,000નું રોકાણ અને ભવિષ્યમાં ₹1 કરોડથી...

ઇન્જેક્શન અસલી કે નકલી? ₹1 લાખની દવાના સેમ્પલે ખોલ્યું મોટું રહસ્ય

કેન્સરની દવા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મફતમાં મળવી જોઈએ, પણ...

કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહને વધુ એક વખત ધમકી મળી છે. છેલ્લા થોડા મહિનામાં તેમને આ બીજી વખત ધમકી મળી છે અને થોડા દિવસ અગાઉ તો તેઓ એક કાર્યક્રમમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની નજીક આવી પહોંચેલા એક મુસ્લિમ યુવકે તેમના પર શારીરિક હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને બિહારના બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહને પાકિસ્તાન તરફથી ધમકી મળી છે. ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ અમરેન્દ્ર કુમાર અમરના મોબાઈલ ફોન પર વોટ્સએપ કોલ કરીને આ ધમકી આપવામાં આવી છે. અમરેન્દ્ર કુમારે જણાવ્યું કે તેમને પાકિસ્તાનથી એક વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે ગિરિરાજ સિંહ વિશે અપશબ્દો કહ્યા હતા. તેના તાજેતરના નિવેદનો માટે પરિણામની ધમકી આપી હતી. આ અંગે શહેર પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

સનાતન અને રાષ્ટ્રવાદી વાતની તરફેણમાં બેબાક નિવેદનો માટે જાણીતા ગિરિરાજ સિંહના સાથી અમરેન્દ્ર કુમારને શુક્રવારે સવારે 11.28 વાગ્યે વોટ્સએપ કોલ આવ્યો હતો. આ પછી તેણે બેગુસરાયના ડીએમ અને એસપીને લેખિત ફરિયાદ કરી છે. અમરેન્દ્ર કુમાર અમર 2019 થી 2024ની ચૂંટણી સુધી ગિરિરાજ સિંહના સાંસદ પ્રતિનિધિ રહી ચૂક્યા છે. હાલ તેઓ ભાજપના ખાગરિયા જિલ્લા પ્રભારી છે. તેઓ ભારત સરકારના સ્થાયી પરિષદના સભ્ય પણ છે.

બેગુસરાય હેડ ક્વાર્ટર ડીએસપીએ જણાવ્યું કે સાંસદના પ્રતિનિધિ અમરેન્દ્ર અમરે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમરના કહેવા પ્રમાણે, તેને ગુરુવારે વોટ્સએપ પર કોલ આવ્યો હતો, જેમાં ગિરિરાજ સિંહ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારે કહ્યું, “તમારા બંનેને ખૂબ જ ખરાબ ભાગ્યનો સામનો કરવો પડશે. પરિણામ ભોગવવા માટે તૈયાર રહો.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories