સુપ્રીમ કોર્ટે આસારામ બાપુની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

Share this story

આસારામ જેલા ૧૧ વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યા છે. એપ્રિલ ૨૦૧૮માં રાજસ્થાનના જોધપુરની એક અદાલતે આસારામને ૨૦૧૩માં તેના આશ્રમમાં એક સગીર સાથે બળાત્કારનો દોષી ઠેરવ્યા બાદ તેઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જે કેસમાં સજા કાપી રહેલા આસારામ બાપુને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામ બાપુની સજા માફ કરવાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. મળતી માહિતી મુજબ, આસારામ બાપુએ સુપ્રીમ કોર્ટને સ્વાસ્થ્યના કારણોસર સજાને સ્થગિત કરવાની વિનંતી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેની અરજી પર સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. ક્યાંથી આવ્યો હતો આસારામનો આખો પરિવાર, આસારામે ગુરુ બન્યા પહેલા શું કર્યું, જાણો વિગત

આસારામ બાપુને પોલીસ કસ્ટડીમાં મહારાષ્ટ્રની હોસ્પિટલમાં ખરાબ તબિયતને પગલે સારવાર માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી હતી. મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડીમાં આસારામ બાપુએ ખરાબ તબિયતને પગલે આયુર્વેદિક પદ્ધતિથી સારવારની માંગ કરી હતી. આ અરજી લઈને પણ તમે રાજસ્થાન હાઈકોર્ટમાં જાઓ. આ રીતે આસારામને ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી.

સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને પોલીસ કસ્ટડીમાં રાખીને મહારાષ્ટ્રની હોસ્પિટલમાં સારવાર લેવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમાં પોલીસ કસ્ટડીમાં આસારામ બાપુએ આયુર્વેદિક સારવારની પણ માગણી કરી હતી, જેના પર કોર્ટે તેમને રાજસ્થાન હાઈકોર્ટમાં જવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે આસારામ બાપુને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી, આ પહેલા પણ તેમને સુપ્રીમ કોર્ટમાંથી આંચકો લાગ્યો છે.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ડિવિઝનલ બેંચે રાજસ્થાન હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ આસારામ બાપુની અરજી પર સુનાવણી કરી રહી હતી. હકીકતમાં, હાઈકોર્ટે સજા સ્થગિત કરવા માટેની તેમની ચોથી અરજીને ફગાવી દીધી હતી.

આ પણ વાંચો :-