જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર વિસ્તારમાં આતંકવાદીઓએ બહારના મજૂરોના જૂથ પર હુમલો કર્યો હતો. જેમાં ડૉક્ટર સહિત સાતના મોત, જ્યારે બે અન્ય ઘાયલ થયા હતા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ જિલ્લાના ગુંડ વિસ્તારમાં સુરંગ નિર્માણનું કામ કરી રહેલી ખાનગી કંપનીના અન્ય રાજ્યોના કામદારોના કેમ્પ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
હુમલામાં બે મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા, જે વિસ્તારમાં આ ઘટના બની તે મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે સેના અને જમ્મુ-કાશ્મીરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેઓએ કોર્ડન કરીને આતંકીઓને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.
પ્રારંભિક તપાસમાં એવી વિગતો સામે આવી છે કે, જે અધિકારીઓ અને શ્રમિકો મધ્ય કાશ્મીર અને ગાંદરબલ જિલ્લાને જોડતી જેડ મોડ ટનલ બાંધકામનું કામ કરી રહ્યા હતા, આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા છે. હાલ સુરક્ષા દળોની ટીમ આતંકવાદીઓને પકડી પાડવા આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. જમ્મુ-કાશ્મી પોલીસે ઘટના અંગે કહ્યું કે, હાલ આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ફાયરિંગની ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘સોનમર્ગ વિસ્તારના ગગનીરમાં પ્રવાસી શ્રમિકો પર કાયરતાપૂર્વક હુમલાની દુઃખદ ઘટના બની છે. આ શ્રમિકો વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. આ હુમલામાં બે લોકોના મોત થયા છે, જ્યારે બેથી ત્રણ લોકોને ઈજા થઈ છે. હું આ નિઃશસ્ત્ર નિર્દોષ લોકો પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરું છું અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
આ પણ વાંચો :-