HomeNationalપોલીસકર્મીની હત્યા બાદ ગાઝિયાબાદના આ ગામમાં દહેશત, 80% બનાવ્યું પલાયન

પોલીસકર્મીની હત્યા બાદ ગાઝિયાબાદના આ ગામમાં દહેશત, 80% બનાવ્યું પલાયન

Date:

Related stories

ડુંગળીના ભાવે લગાવી ‘આગ’! સુરતમાં ભાવ વધવાના આ છે મોટા કારણો

રસોડામાં રોજ વપરાતી ડુંગળી હવે સામાન્ય પરિવારના બજેટને સીધી...

3400 કિસથી સજાવી કાર, પ્રેમનો આ અંદાજ પડ્યો ભારે; પોલીસે ફટકાર્યો આટલા રુપિયાનો દંડ

ગર્લફ્રેન્ડનો પ્રેમ બતાવવા કાર પર કરાવવામાં આવ્યા 3,400 કિસના...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના નાહલ ગામમાં રવિવારે (25મી મે) એક હિસ્ટ્રીશીટરની ધરપકડ કરવા પહોંચેલી નોઈડા પોલીસ ટીમ પર થયેલા હુમલામાં કોન્સ્ટેબલ સૌરભ કુમારનું મોત થયું હતું. ત્યારથી પોલીસ હુમલો કરનારા તત્ત્વો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં, લગભગ 14 લોકોની અટકાયત કરવામાં આવી છે અને ફાયરિંગની ઘટના માટે સાવચેતીના પગલા તરીકે 42 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી વચ્ચે નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પલાયન કરી ચૂક્યા છે.

ગામમાં 95 ટકા લોકો મુસ્લિમ છે
અહેવાલો અનુસાર, નાહલ ગામમાં લગભગ 400 પરિવારો પોતાના ઘર છોડીને ગયા છે. પોલીસ જેને ઈચ્છે છે તેની ધરપકડ કરી રહ્યા છે. ઘણાં લોકો પોતાના સંબંધીઓના ઘરે ગયા છે. ગામના વડા તસવ્વર અલીએ કહ્યું કે, ‘નાહલમાં લગભગ 10,000 લોકો રહે છે. તેમાંથી 95 ટાક મુસ્લિમ છે અને બાકીના અનુસૂચિત જાતિના છે. મને ખબર નથી કે શું કરવું, મેં આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે, હું કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું.’

કોન્સ્ટેબલને માથામાં ગોળી વાગી હતી
રવિવારે રાત્રે નાહલમાં ચોરીના કેસમાં આરોપી કાદિરને પકડવા ગયેલી નોઈડા પોલીસ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. જ્યારે પોલીસે કાદિરને લઈ જવાનું શરૂ કર્યું, ત્યારે આરોપીએ તેના સાથીઓને ઉશ્કેર્યા. આ દરમિયાન લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને ગોળીબાર કર્યો. ગોળીબારમાં ગોળી કોન્સ્ટેબલ સૌરભના માથામાં વાગી અને પસાર થઈ ગઈ, જ્યારે પથ્થરમારામાં કોન્સ્ટેબલ સોનિત અને અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા. નોઈડામાં તૈનાત SI સચિન રાઠીએ મસૂરી પોલીસ સ્ટેશનમાં કાદિર, તેના ભાઈ અને અન્ય લોકો વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

લોકોએ કહ્યું, અમારો જીવ બચાવવા માટે ક્યાં જવું જોઈએ
ગામમાં બાકી રહેલા લોકોએ શાંત અવાજમાં કહ્યું કે પોલીસ નિર્દોષ લોકોને પણ હેરાન કરી રહી છે. રાત્રે દરોડા પાડવામાં આવે છે, જેના કારણે પરિવારમાં ભયનું વાતાવરણ છે. અમારો જીવ બચાવવા માટે ક્યાં જવું જોઈએ. પોલીસકર્મીઓ દરવાજા ખખડાવે છે, જેના કારણે નાના બાળકો ડરી જાય છે. પોલીસ ગામની અંદર પણ દરોડા પાડી રહી છે. લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ગામની મોટાભાગની દુકાનોને તાળાં લાગેલા છે.

Subscribe

Latest stories