HomeOffbeatતમિલ અભિનેતા કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

તમિલ અભિનેતા કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા, લેખક અને નિર્દેશક કે. ભાગ્યરાજનું હૃદયરોગના હુમલાના કારણે 73 વર્ષની વયે નિધન થયું છે. લગભગ પાંચ દાયકાથી વધુ સમય સુધી તમિલ સિનેમાને સમર્પિત રહેલા કે. ભાગ્યરાજના અવસાનથી દક્ષિણ ભારતીય ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

જુનિયર આર્ટિસ્ટથી શરૂ થઈ હતી કારકિર્દી
કે. ભાગ્યરાજે પોતાના ફિલ્મી કરિયરમાં 75થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો અને 20થી વધુ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત જુનિયર આર્ટિસ્ટ તરીકે કરી હતી. વર્ષ 1977માં આવેલી ફિલ્મ 16 વયથિનિલેમાં તેઓ પ્રથમ વખત નાના પાત્રમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમણે ‘સિગપ્પુ રોજક્કલ’ (1978) ફિલ્મમાં અભિનય કર્યો હતો અને આ ફિલ્મના સંવાદ લેખનમાં પણ યોગદાન આપ્યું હતું.

સહાયક નિર્દેશકથી સફળ ડિરેક્ટર સુધીનો સફર
અભિનય બાદ તેઓ સહાયક નિર્દેશક તરીકે તમિલ સિનેમામાં સક્રિય બન્યા અને અનેક ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી. વર્ષ 1979માં આવેલી ફિલ્મ ‘સુવરિલ્લાધા ચિથિરંગલ’ દ્વારા તેમણે દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમણે પોતાના કરિયરમાં ‘ઓરુ કાઈ ઓસાઈ’, ‘ડાર્લિંગ, ડાર્લિંગ, ડાર્લિંગ’ અને ‘અવસારા પોલીસ 100’ જેવી લોકપ્રિય ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. વર્ષ 2010માં તેમણે ‘સિદ્ધુ 2’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં તેમના પુત્રએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

દિગ્દર્શનમાંથી વિરામ બાદ પણ અભિનય ચાલુ રાખ્યો
2010 બાદ કે. ભાગ્યરાજે દિગ્દર્શનમાંથી વિરામ લીધો હતો, પરંતુ તેઓ ફિલ્મોમાં સહાયક અને મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા રહ્યા હતા. તાજેતરમાં અભિનેતા ધનુષની ફિલ્મ ‘કુબેરા’ (2025) માં પણ તેઓ જોવા મળ્યા હતા.

પરિવારને છોડી ગયા
કે. ભાગ્યરાજ પોતાના પાછળ પત્ની પૂર્ણિમા જયરામ, પુત્રી સરણ્યા ભાગ્યરાજ અને પુત્ર શાંતનુ ભાગ્યરાજને છોડી ગયા છે. શાંતનુ ભાગ્યરાજ પણ પોતાના પિતાની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અભિનેતા તરીકે કાર્યરત છે. તેમના નિધનથી તમિલ સિનેમા જગતે એક પ્રતિભાશાળી અભિનેતા, લેખક અને દિગ્દર્શક ગુમાવ્યો છે.

Subscribe

Latest stories

spot_img