સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં પાંડેસરામાં બાળકીને ત્યજી દેવામાં આવેલી! આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરતના પાંડેસરામાં બાળકી ત્યજી દેવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે તપાસ કરીને આ મામલે ખુલાસો કર્યો છે. મળતી વિગતો પ્રમાણે કિશોરીને ગર્ભ રહી જતા બાળકીને જન્મ આપ્યો હતો. તપાસમાં એવું સામે આવ્યું કે, સોશિયલ મીડિયામાં સંપર્કમાં આવતા કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.
શહેરના પાંડેસરામાં રહેતી અને ધો. 10માં ભણતી એક સગીરા સોશિયલ મીડિયા દ્વારા એક કિશોરના પરિચયમાં આવી હતી. બંને વચ્ચે વાતચીત થતાં પ્રેમમાં પડ્યા હતા. આ દરમિયાન તેઓ બહાર પણ મળતા હતા. પ્રેમમાં પાગલ બનેલી સગીરાએ આ દરમિયાન તેનું સર્વસ્વ સોંપી દીધું હતું. થોડા દિવસો બાદ તેને ગર્ભ રહી ગયો હતો. સમાજમાં બદનામી અને ઘરમાં બધાને ખબર પડી જવાના ડરે સગીરાએ ગમે તેમ કરીને ગર્ભપાત માટે વપરાતી દવા ખરીદી હતી. દવાની અસર થયા બાદ માતા-પિતા અને પાંચ બહેનોની હાજરી હોવા છતાં તેણે બાથરૂમમાં જઈ જાતે ડિલિવરી કરી હતી. એટલું જ નહીં ભ્રૂણ કચરામાં ફેંકી દીધું હતું.
પાંડેસરા પોલીસને 10 દિવસ પહેલા કચરાના ઢગલામાંથી એક ભ્રૂણ મળ્યું હતું. પોલીસે છ ટીમો બનાવીને આશરે 2 કિમીના વિસ્તારમાં લગભગ 300થી વધુ સીસીટીવી ચકાસ્યા. જેમાં ફૂટેજના આધારે અને લોકલ બાતમીદારની મદદથી પોલીસે સગીરાને શોધી કાઢી હતી. જેમાં તેણે ત્રણ વખત ફેરવી તોળ્યું હતું. પ્રથમ વખત સગીરાએ તેના પ્રેમીએ ગર્ભપાત માટેની દવા લાવી આપી હોવાનું જણાવ્યું હતું. બીજી વખત તેના સંબંધી ભાભીએ અને ત્રીજી વખત મેડિકલ સ્ટોર પરથી દવા ખરીદી હોવાનું પોલીસને નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો :-