Friday, Aug 21, 2026

ખાંડ મોંઘી થઈ તો મીઠાઈની મજા કેમ બગાડો? લાડુ-મોદકથી બરફી સુધી આ વિકલ્પ અજમાવો

3 Min Read

તહેવારો એટલે મીઠાઈ, અને મીઠાઈ એટલે ખાંડ—પણ આ વર્ષે આ સમીકરણ થોડું મોંઘું પડી શકે છે. ભારતમાં ખાંડના ભાવમાં છેલ્લા બે મહિનામાં લગભગ 40 ટકાનો ઉછાળો આવ્યો છે. ભાવને નિયંત્રણમાં લેવા માટે કેન્દ્ર સરકારે 20 ઓગસ્ટ, 2026ના રોજ 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડની ડ્યૂટી-ફ્રી આયાતને મંજૂરી આપી છે. આ આયાત 31 ઓક્ટોબર સુધી માન્ય રહેશે, એટલે ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા તહેવારો પહેલાં પુરવઠો વધારવાનો પ્રયાસ છે.

પરંતુ ખાંડના ભાવ વધ્યા એટલે ઘરની મીઠાઈની પ્લેટ નાની કરવાની જરૂર નથી. લાડુ, મોદક, બરફી, શીરો કે અન્ય ડેઝર્ટમાં મીઠાશ આપવા માટે કેટલાક વૈકલ્પિક ingredients અજમાવી શકાય છે. FSSAI પણ મર્યાદિત પ્રમાણમાં ખજૂર, ફળો, મધ અને ગોળ જેવા naturally sweet ingredientsનો ઉપયોગ કરવાની ભલામણ કરે છે.

ગોળ
સુખડી, ચીક્કી, લાડુ અને પાયસમ જેવી પરંપરાગત વાનગીઓ માટે સૌથી સરળ વિકલ્પ. તેનો ઊંડો સ્વાદ મીઠાઈને અલગ ટેસ્ટ આપે છે.

ખજૂરનો પેસ્ટ
પલાળેલા ખજૂરને બ્લેન્ડ કરીને મોદક, બરફી અને ડ્રાયફ્રૂટ લાડુમાં વાપરી શકાય. ખાસ કરીને no-cook sweets માટે ઉપયોગી.

3. કિસમિસનો પેસ્ટ
કિસમિસને પલાળી પેસ્ટ બનાવી નટ્સ સાથે મિક્સ કરી શકાય. ડ્રાયફ્રૂટ લાડુમાં તેનો સ્વાદ સારો આવે છે.

અંજીર
અંજીર અને બદામ-કાજુનું મિશ્રણ બનાવી લાડુ અથવા bite-size sweets તૈયાર કરી શકાય.

પાકેલું કેળું
શીરો, ઓટ્સ લાડુ અથવા હોમમેડ મીઠાઇ માં પાકેલું કેળું કુદરતી મીઠાશ અને નરમ ટેક્સચર આપી શકે છે.

મધ
કેટલીક desserts, sauces અથવા ઘરેલું રસોઈમાં મધનો ઉપયોગ કરી શકાય છે. જોકે તે પણ મીઠાશ ધરાવતું સ્વીટનરછે, તેથી પ્રમાણ મહત્વનું છે.

નાળિયેર ખાંડ
તેનો હળવો caramel-like flavour બેકિંગ, ફ્યુઝન મોદક અને કેટલીક બરફીમાં સારી રીતે બંધબેસે છે.

ફળોના પલ્પ
કેળા, સફરજન અથવા અન્ય મીઠાં ફળોના પલ્પથી કેટલીક હોમમેડ મીઠાઇમાં ખાંડનું પ્રમાણ ઘટાડીને સ્વાદ મેળવી શકાય છે.

સ્ટીવિયા
ઓછી કેલરીવાળા non-nutritive સ્વીટનર તરીકે સ્ટીવિયાનો ઉપયોગ થાય છે. તે ખાંડ કરતાં ઘણી વધારે મીઠી હોવાથી બહુ ઓછી માત્રા જરૂરી છે. ICMR અનુસાર આવા સ્વીટનરને સ્વીકાર્ય દૈનિક મર્યાદા (ADI)માં જ લેવાનું યોગ્ય છે.


‘ખાંડ વગરની’ અથવા ‘નેચરલ સ્વીટનરથી બનેલી’ મીઠાઈ એટલે આપમેળે હેલ્ધી મીઠાઈ નથી. ગોળ, મધ, ખજૂર અને ફળોમાં પણ કુદરતી અથવા મુક્ત શર્કરા હોય છે. એટલે માત્ર સ્વીટનર બદલવા કરતાં કુલ મીઠાશ અને portion size પર નિયંત્રણ રાખવું વધુ મહત્વનું છે. FSSAI પણ વધુ ખાંડવાળા ખોરાક અને મીઠાઈનું સેવન મર્યાદિત રાખવાની સલાહ આપે છે.

એટલે આ તહેવારે મીઠાઈ છોડવાની નહીં, પરંતુ ખાંડનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે.

Share This Article