આજે શુક્રવારે બિહાર વિધાનસભાના ખાસ સત્રમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ વિશ્વાસ મત જીતી લીધો હતો.
સરકારને 243 સભ્યોની વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 122 મતોની જરૂર હતી, પરંતુ NDA એ 201 ધારાસભ્યોના સમર્થનનો દાવો કરીને પોતાની એકતા દર્શાવી હતી. સરકારે ધ્વનિ મત દ્વારા ફ્લોર ટેસ્ટ પાસ કર્યો, ત્યારબાદ વિધાનસભા અધ્યક્ષ પ્રેમ કુમારે નવી સરકારને અભિનંદન આપ્યા હતા.
વિશ્વાસ મત દરમિયાન, CM સમ્રાટ ચૌધરીએ જણાવ્યું કે NDA 20 વર્ષથી વધુ સમયથી બિહારમાં સત્તામાં છે. NDA સરકારે ખેડૂતો અને મહિલાઓના કલ્યાણને પ્રાથમિકતા આપી છે અને સુશાસન સ્થાપિત કરવા માટે વ્યાપકપણે કામ કર્યું છે. “અમારા નેતા નીતિશ કુમાર સમૃદ્ધ બિહારની કલ્પના કરે છે. જેમ તેમણે 3C (ગુના, ભ્રષ્ટાચાર અને સાંપ્રદાયિકતા) સાથે ક્યારેય સમાધાન કર્યું નથી, તેમ આ સરકાર પણ સમાધાન કરશે નહીં,” તેમણે કહ્યું.