HomeGujaratઅમેરિકા પડોશી દેશમાં ગોળીબારનો કહેર: બે અલગ હુમલામાં 25 લોકોની હત્યા

અમેરિકા પડોશી દેશમાં ગોળીબારનો કહેર: બે અલગ હુમલામાં 25 લોકોની હત્યા

Date:

Related stories

રવિવારે સૂર્યદેવની કૃપા કોના પર? 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬, રવિવાર માટેનું ૧૨ રાશીઓનું સચોટ રાશીફળ...

સુરતના શ્યામ સંગીની માર્કેટ આગકાંડમાં 1000થી વધુ CCTV તપાસ્યા બાદ મોટો ખુલાસો!

સુરતના સારોલીની શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી આગના કેસમાં તપાસ...

ક્રિકેટ ફેન્સ માટે મોટું સરપ્રાઇઝ! રોહિત શર્મા હવે ટીવી પર જોવા મળશે આ નવા રોલમાં

ક્રિકેટના મેદાન પર પોતાની આક્રમક બેટિંગથી ભલભલા બોલરોના છક્કા...

તમારા સવાલ જવાબ આપવાના બદલે આ AI સિસ્ટમએ કરી ત્રણ કંપની હેક!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)...
spot_img

અમેરિકાના પડોશી દેશ હોન્ડુરાસમાંથી એક દુખદ ઘટના સામે આવી છે. અહીં બે અલગ અલગ વિસ્તારોમાં 25 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ઉત્તર હોન્ડુરાસના ટ્રુજિલો નગરપાલિકા વિસ્તારમાં એક બાગાનમાં 19 મજૂરોને ગોળી મારી દેવામાં આવ્યા હતા. જ્યારે ગ્વાટેમાલા સરહદ નજીક આવેલા ઓમોઆ નગરપાલિકા વિસ્તારમાં પણ 6 પોલીસકર્મીઓને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ આ વિસ્તાર દાયકાઓથી કૃષિ સંઘર્ષનું કેન્દ્ર રહ્યો છે. હાલ તપાસ એજન્સીઓ કાર્યવાહી માં લાગી ગઈ છે.

બે વિસ્તારોમાં થયો ગોળીબાર
પોલીસે જણાવ્યું કે ગુરુવારે હોન્ડુરાસના દરિયાકાંઠા વિસ્તારમાં બંદૂકધારીઓએ બે અલગ અલગ હુમલાઓમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલાઓમાં 6 પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. રાષ્ટ્રીય પોલીસ પ્રવક્તા એડગાર્ડો બારાહોનાએ જણાવ્યું કે પ્રથમ ઘટના ઉત્તર હોન્ડુરાસના ટ્રુજિલો નગરપાલિકા વિસ્તારમાં આવેલા એક બાગાનમાં બની હતી, જ્યાં ઓછામાં ઓછા 19 મજૂરોને ગોળી મારી દેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે બીજા હુમલામાં ગ્વાટેમાલા સરહદ નજીક કોર્ટેસ વિભાગના ઓમોઆ નગરપાલિકા વિસ્તારમાં હુમલાખોરોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક વરિષ્ઠ અધિકારી સહિત 6 અધિકારીઓના મોત થયા હતા.

તપાસ માટે ટીમોની રચના
પોલીસે જણાવ્યું કે અધિકારીઓ ગેંગ વિરોધી અભિયાન પર તૈનાત હતા અને રાજધાની તેગુસિગાલ્પાથી ઓમોઆ જતાં સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે બારાહોનાએ ટ્રુજિલોમાં ઓછામાં ઓછા 19 મજૂરોના મોતની પુષ્ટિ કરી હતી, પરંતુ તેમણે જણાવ્યું કે મૃતકોની કુલ સંખ્યા હજુ સ્પષ્ટ નથી, કારણ કે પીડિતોના પરિવારજનો પોતાના સ્વજનોના મૃતદેહોને ઘટનાસ્થળ પરથી લઈ ગયા છે. તેમણે જણાવ્યું કે તપાસકર્તાઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બીજી તરફ સુરક્ષા મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય પોલીસ અને સશસ્ત્ર દળો બંને હુમલાગ્રસ્ત વિસ્તારોમાં કાર્યવાહી કરશે અને તપાસ માટે ફોરેન્સિક નિષ્ણાતો તથા સરકારી વકીલો સહિતની ટીમોની રચના કરવામાં આવશે.

Subscribe

Latest stories