ટાટા નોએલને ટાટા ટ્રસ્ટના ચેરમેન બનાવવામાં આવ્યા છે. ટાટા ટ્રસ્ટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ રતન ટાટાના સાવકા ભાઈ છે. નોએલ ટાટાનો જન્મ રતન ટાટાના પિતા નવલ ટાટાની બીજી પત્ની સિમોન દ્ધાપા થયો હતો. નોએલ ટાટાને ત્રણ બાળકો છે. આ માયા ટાટા, નેવિલ ટાટા અને લિયા ટાટા છે. દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે અવસાન થયું.

ઉલ્લેખનીય છે કે દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના નિધન બાદ પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો હતો . ટાટા ગ્રૂપના ચેરમેન એમેરેટસ સ્વર્ગીય રતન ટાટાના ભાઈ નોએલ ટાટા આયરલેન્ડમાં બિઝનેસમેન છે. નોએલ ટાટા અને રતન ટાટા ભાઈઓ છે. જોકે, બંનેની માતાઓ અલગ-અલગ છે. રતન ટાટા પરિણીત નથી અને તેમને સંતાન નથી. નોએલ ટાટાને રતન ટાટાના ઉત્તરાધિકારી તરીકે પણ ગણવામાં આવી રહ્યા હા. નોએલ ટાટાને રતન ટાટાના વારસદાર તરીકે આશરે રૂ. 3800 કરોડની સંપત્તિ મળશે.
નોએલ ટાટાએ યુકેની સસેક્સ યુનિવર્સિટી અને INSEAD માં ઈન્ટરનેશનલ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે. નોએલને તેમના વ્યૂહાત્મક કૌશ્લ્ય અને ગ્રૂપના વિઝન પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે ઓળખાય છે. નોએલ ટાટાને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના 11મા ચેરમેન અને સર રતન ટાટા ટ્રસ્ટના છઠ્ઠાં ચેરમેન તરીકે નિમાયા છે.
રતન ટાટાના નિધન બાદ આજે મુંબઈમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં સૌની સહમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત નોએલને ટાટા ગ્રુપની બે સૌથી મહત્વપૂર્ણ ચેરિટેબલ સંસ્થાઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને સર દોરાબજી ટાટા ટ્રસ્ટના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ આ સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સંકળાયેલા હતા. હવે તેમને ટાટા ટ્રસ્ટના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-