Sunday, Sep 14, 2025

અયોધ્યામાં રામલલા સોનાના સિંહાસન પર બિરાજશે

1 Min Read

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંદિરના નિર્માણમાં અત્યાર સુધીમાં ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ બજેટ ૧૮૦૦ કરોડ રૂપિયા છે. દાનમાં મળેલી સોના-ચાંદીની વસ્તુઓને ઓગાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય હવે વિદેશીઓ પણ મંદિરના નિર્માણ માટે દાન આપી શકશે.

રામ મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પરના ૧૪ દરવાજા સોનાથી મઢવામાં આવશે. આ સિવાય ભગવાન રામલલાનું સિંહાસન સોનાનું બનશે. અહીં યોજાયેલી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બે દિવસીય બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને લીલી ઝંડી આપવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અને VHPના કેન્દ્રીય ઉપાધ્યક્ષ કામેશ્વર ચૌપાલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હવે મંદિર અને ટ્રસ્ટની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને સરકારી કર્મચારીઓ જેટલો જ પગાર અને તમામ સુવિધાઓ આપવામાં આવશે. અર્ચકોની પસંદગી પણ પરીક્ષા દ્વારા યોગ્યતાના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article