Home Blog Page 99

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: 72 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ આજે એકસાથે 72 IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

આ આદેશો અનુસાર, અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટર તરીકે તેજસ પરમારની વરણી કરવામાં આવી છે. જામનગરના કમિશનર ડી.એન. મોદીને હવે ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે, જ્યારે જે.એસ. પ્રજાપતિ ગાંધીનગરના નવા મ્યુનિસિપલ કમિશનર બનશે.

વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ

કચ્છના કલેક્ટર આનંદ પટેલને કમિશનર ઓફ સ્કૂલ તરીકે બદલી આપવામાં આવી છે, જેઓ પીએમ પોષણ યોજનાનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગેડા (GEDA) માં નિયામક તરીકે મુકવાની સાથે MD GPCL અને MD UGVCL નો મહત્વનો હવાલો સોંપાયો છે. આ ઉપરાંત, જૂનાગઢના નવા કમિશનર તરીકે પ્રભવ જોશીની નિમણૂક કરવામાં આવી છે અને જે.એન. વાઘેલાને ગીર સોમનાથના કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.

સુરત, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં મહત્વના ફેરફારો

નવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની નિમણૂક

  • તેજસ દિલીપભાઈ પરમાર – નવા કલેક્ટર, સુરત
  • નિતિન વી. સાંગવાન – નવા કલેક્ટર, વલસાડ
  • દેવ ચૌધરી – નવા કલેક્ટર, તાપી-વ્યારા
  • મનીષ ગુરવાની – નવા કલેક્ટર, નવસારી
  • દેવેન્દ્ર પ્રકાશ મીના – જિલ્લા વિકાસ અધિકારી (DDO), સુરત

પશ્ચિમ બંગાળના હુગલીમાં TMC ઓફિસ ઉપરથી બોમ્બ-હથિયારોનો જથ્થો મળતા ખળભળાટ

0

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હુગલી સ્ટેશન નજીક આવેલા હૉકર્સ માર્કેટના ધાબા પરથી મોટી માત્રામાં ધારદાર હથિયારો અને દેશી બોમ્બ મળી આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ માર્કેટની નીચે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું પાર્ટી કાર્યાલય આવેલું હોવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

બાતમીના આધારે પોલીસે કર્યો દરોડો

પોલીસને ગુપ્ત બાતમી મળતા તાત્કાલિક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડબ્બાઓમાં છુપાવી રાખવામાં આવેલા દેશી બોમ્બ અને તીક્ષ્ણ હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી તમામ શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમે શરૂ કરી તપાસ

ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ અને પોલીસની વિશેષ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી પાકા કામનો કેદી ફરાર, હાઈ સિક્યોરિટી તંત્રની પોલ ખુલ્લી

રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાલતી પોલમપોલ, સ્ટાફની બેદરકારી અને આંતરિક વિવાદોની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ સેન્ટ્રલ જેલના રેઢીયાળ તંત્રનો જીવતો જાગતો પુરાવો ત્યારે સામે આવ્યો જ્યારે હત્યા અને પોક્સોના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલના મેઈન ગેટમાંથી ફરાર થઈ ગયો. હાઈ સિક્યોરિટી ધરાવતી જેલમાંથી કેદી ભાગી છૂટતા જેલ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે.

ગણતરી દરમિયાન ખુલ્યો કેદી ફરાર થવાનો ભાંડો

રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓને રાખવામાં આવ્યા હતા. નિયમિત ગણતરી દરમિયાન માત્ર 32 કેદીઓ હાજર મળતા માલદે પરમાર ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જેલમાં તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેદીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. બાદમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા માલદે પરમાર જેલ સ્ટાફને ચકમો આપી મેઈન ગેટમાંથી બહાર નીકળતો નજરે પડ્યો હતો.

હત્યા અને પોક્સો કેસમાં ભોગવી રહ્યો હતો આજીવન કેદ

માલદે પરમાર સામે વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. શરૂઆતમાં તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત બગડતા તેને વર્ષ 2025માં સારવાર અને દેખરેખ માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સચિનમાં કામદાર યુવકનું હીટ સ્ટ્રોકથી કરૂણ મોત

સુરત શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી હવે શ્રમજીવીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં કામ કરી રહેલા એક 28 વર્ષીય યુવકનું અચાનક બેભાન થઈને ઢળી પડ્યા બાદ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્રાથમિક રીતે યુવકનું મોત હીટ સ્ટ્રોકને કારણે થયું હોવાનું માનવામાં આવે છે.

ભાઈની નજર સામે જ ઢળી પડ્યો યુવક

આ ઘટના અંગે મૃતકના ભાઈ કુંદન કુમારે જણાવ્યું હતું કે, તેઓ સચિન કનસાડ રોડ પર ગયા હતા, જે રસ્તો એકદમ સૂમસામ છે અને ત્યાં લોકોની અવરજવર બહુ ઓછી હોય છે. અનુજ કુમાર ત્યાં રિપેરિંગ મશીન ચલાવતો હતો અને તે જ સમયે અસહ્ય ગરમીને કારણે તે અચાનક રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.

ભાઈની નજર સામે જ જમીન પર પટકાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કમનસીબે ફરજ પર હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ બિહારના ગોપાલગંજનો વતની 28 વર્ષીય અનુજ કુમાર રોજગારી અર્થે સુરત આવ્યો હતો, અને સચિન સ્થિત કંસાડ વિસ્તારમાં કામ કરતો હતો.

અનુજ કુમાર પોતાના પરિવાર માટે કમાનાર એકમાત્ર મુખ્ય વ્યક્તિ અને આધાર સ્તંભ હતો. તે સુરતમાં રહીને રીપેરીંગ મશીન ચલાવીને જે પણ કમાણી કરતો તે પોતાના વતન બિહાર ઘરે મોકલતો હતો. કાળઝાળ ગરમીએ એક ઝાટકે પરિવારનો માળો વિખેરી નાખતા મૃતક યુવકના પરિવારજનો ભારે શોકમાં ગરકાવ થઈ ગયા છે.

સુરત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

કાળઝાળ ગરમીમાં રસ્તા પર સતત કામ કરવાના કારણે યુવકને હીટ સ્ટ્રોકની અસર થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તેમ છતાં, સુરત પોલીસે આ અકાળે મોત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે જાણવા માટે કાયદેસરની તપાસ પણ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે બપોરના સમયે ખુલ્લામાં કામ કરતા લોકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે.

સેન્સેક્સ ધડામ, રોકાણકારોએ 10.16 લાખ કરોડ ગુમાવ્યા

0

રવિવારે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલની કરકસર કરવા તેમજ સોનું નહીં ખરીદવા જેવી અપીલ કર્યા બાદ તેની ગંભીર અસર શેરબજાર પર પડી છે. સોમવારે 1312 પોઈન્ટનું ગાબડું પડ્યા બાદ મંદળવારે પણ 1400 પોઈન્ટનું ગાબડું પડતાં રોકાણકારોએ 10.16 લાખ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન યુદ્ધને કારણે ઉદ્ભવેલા વિશાળ વૈશ્વિક તેલ સંકટથી ભારતના અર્થતંત્રને બચાવવા માટે ઘરેથી કામ કરવા, બળતણ, વીજળી અને વિદેશ પ્રવાસ ઘટાડવા અને સોનું ખરીદવા જેવા આર્થિક પગલાં અપનાવવા વિનંતી કરી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલે 105 ડોલરથી ઉપર વધી ગયા હોવાથી તેમણે વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા માટે “આર્થિક સ્વ-બચાવ” ની પદ્ધતિની રૂપરેખા આપી હતી. એ બાદ સોમવારથી શેરબજારમાં કડાકો બોલી રહ્યો છે.

મંગળવારે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું. બંને મુખ્ય શેરબજાર સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી, લાલ રંગમાં બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1456.04 પોઈન્ટ ઘટીને 74,559.24 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે નિફ્ટી 436.30 પોઈન્ટ ઘટીને 23,379.55 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, ઓપનએઆઈએ $4 બિલિયનના પ્રારંભિક રોકાણ સાથે ઓપનએઆઈ ડિપ્લોયમેન્ટ કંપની શરૂ કરવાની જાહેરાત કરી. કંપનીએ જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ સંસ્થાઓને તેમના આવશ્યક વ્યવસાયિક કાર્યોમાં AI સિસ્ટમ્સ લાગુ કરવામાં મદદ કરવાનો છે. ક્રૂડ ઓઇલ વાયદાના ભાવ પ્રતિ બેરલે 100 ડોલરથી ઉપર વધ્યા, જે પાછલા સત્રના ફાયદાને વિસ્તૃત કરે છે; આ ત્યારે આવ્યું જ્યારે યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબા સમય સુધી અવરોધની ચિંતા વધી.
ટ્રમ્પે યુએસ-ઈરાન યુદ્ધવિરામની ટકાઉપણું પર પ્રશ્ન ઉઠાવ્યા અને તેહરાનના નવીનતમ શાંતિ પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી ભૂરાજકીય તણાવ વધ્યો હતો.

ઇંધણના ભાવ વધારાના સંકેત? પેટ્રોલ-ડીઝલ મુદ્દે હરદીપ સિંહ પુરીનું મોટું નિવેદન

0

ભારતમાં મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈંધણના ભાવ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે.

CII એન્યુઅલ બિઝનેસ સમિટ 2026 માં બોલતા મંત્રીએ તેલ કંપનીઓની આર્થિક સ્થિતિ અને વૈશ્વિક તણાવ અંગે ખુલીને વાત કરી હતી.

શું ચૂંટણીઓને કારણે ભાવ રોકી રાખવામાં આવ્યા હતા?

છેલ્લા ઘણા સમયથી વિપક્ષ અને સામાન્ય જનતામાં એવી ચર્ચા હતી કે વિધાનસભાની ચૂંટણીઓને કારણે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી. જોકે, હરદીપ પુરીએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, “પેટ્રોલ-ડીઝલના ભાવ અને ચૂંટણીઓને કોઈ લેવાદેવા નથી. અમે છેલ્લા ચાર વર્ષથી કિંમતોમાં વધારો કર્યો નથી, પરંતુ હું એવું નથી કહી રહ્યો કે ભવિષ્યમાં પણ ભાવ નહીં વધે.

”તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાનભાવ વધારાના સંકેત પાછળનું સૌથી મોટું કારણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની ખરાબ નાણાકીય સ્થિતિ છે. મંત્રીએ ચોંકાવનારા આંકડા આપતા જણાવ્યું કે:

તેલ કંપનીઓ અત્યારે દરરોજ અંદાજે ₹1,000 કરોડનું જંગી નુકસાન વેઠી રહી છે.

કંપનીઓની અન્ડર-રિકવરી (ખર્ચ અને વેચાણ વચ્ચેનો તફાવત) ₹1,98,000 કરોડ સુધી પહોંચી ગઈ છે.

ચાલુ ત્રિમાસિક ગાળામાં કંપનીઓની ખોટ ₹1 લાખ કરોડને પાર કરી ગઈ છે.

પુરીએ ચિંતા વ્યક્ત કરી કે કંપનીઓ ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે અત્યાર સુધી આ આઘાત સહન કરી રહી છે, પરંતુ ગયા વર્ષે તેમણે જે નફો કર્યો હતો તે હવે પૂરો થઈ રહ્યો છે. કંપનીઓ ક્યાં સુધી આ નુકસાન સહન કરી શકશે તે એક મોટો પ્રશ્ન છે.

શું દેશમાં ઈંધણની અછત સર્જાશે?

ઈંધણની અછત અથવા ‘ડ્રાય આઉટ’ ની આશંકાઓને ફગાવી દેતા મંત્રીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે અત્યંત જવાબદારીપૂર્વક આ સંકટને સંભાળ્યું છે.

LPG (ગેસ) નું ઉત્પાદન જે પહેલા 35,000 ટન હતું, તે વધારીને હવે 55,000 થી 56,000 ટન કરવામાં આવ્યું છે.

દેશના લગભગ તમામ વિસ્તારોમાં ગેસનો પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને ક્યાંય પણ ઈંધણ ખૂટી પડવાની સ્થિતિ નથી.

ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક સુરક્ષિત છે?

કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ભારત પાસે પૂરતો ઊર્જા ભંડાર હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ:

૧. કાચું તેલ (Crude Oil): 60 દિવસનો સ્ટોક.

૨. LNG (નેચરલ ગેસ): 60 દિવસનો સ્ટોક.

૩. LPG (રસોઈ ગેસ): 45 દિવસનો સ્ટોક.

આ ભંડાર ભારતની મહત્તમ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતો છે, જે કોઈપણ વૈશ્વિક કટોકટી સમયે દેશને સુરક્ષા પ્રદાન કરશે.

પીએમ મોદીનું વિઝન અને વૈશ્વિક યુદ્ધની અસરોકેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ હાલના વૈશ્વિક તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો આ વૈશ્વિક સંઘર્ષો લાંબો સમય ચાલશે, તો દેશની રાજકોષીય ખાધ અને આર્થિક સ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકારને કડક નિર્ણયો લેવા પડી શકે છે.

છત્તીસગઢમાં તરબૂચ ખાધા બાદ 15 વર્ષના છોકરાનું મોત, જાણો ડોક્ટરે શું કહ્યું?

0

છત્તીસગઢના જાંજગીરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તરબૂચ ખાધા પછી 15 વર્ષના એક છોકરાનું મોત થયું છે. આ ઉપરાંત, ત્રણ અન્ય બાળકો બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે, અને લોકો તરબૂચ ખાવાથી ડરી રહ્યા છે.

શું છે આખો મામલો?

આ ઘટના છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના ઘુરકોટ ગામમાં બની હતી. તરબૂચ ખાધા પછી 15 વર્ષના એક છોકરાનું મોત થયું હતું અને તેના પરિવારના ત્રણ બાળકો બીમાર પડ્યા હતા. મૃતકની ઓળખ 15 વર્ષના અખિલેશ તરીકે થઈ છે. બાળકો તેમના પરિવાર સાથે તેમના મામાના ઘરે મળવા આવ્યા હતા. પોડી દલ્હા ગામના રહેવાસી અખિલેશ ધીવર ધીવર ગામના રહેવાસી હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીમાર પડેલા ત્રણ બાળકોની ઓળખ અવારિદ ગામના શ્રી ધીવર (4), ખટોલાના પિન્ટુ ધીવર (12) અને કોટગઢના હિતેશ ધીવર (13) તરીકે થઈ છે.

જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એસ. કુજુરનું નિવેદન

જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એસ. કુજુર તરફથી આ મામલે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “રવિવારે સાંજે બાળકોએ ઘરમાં સંગ્રહિત પ્રી-કટ તરબૂચ ખાધું. થોડા કલાકો પછી, અખિલેશને ઉલટી, ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પાછળથી અન્ય ત્રણ બાળકોમાં પણ આ જ લક્ષણો જોવા મળ્યા.

તેમની સ્થિતિ વધુ બગડતા, પરિવાર સોમવારે અલગ અલગ સમયે એમ્બ્યુલન્સ દ્વારા તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો. અખિલેશ પહોંચ્યા પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અન્ય ત્રણ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે, અને વિસેરાના નમૂના ફોરેન્સિક તપાસ માટે સાચવવામાં આવ્યા છે. ઘરમાં સંગ્રહિત અન્ય તરબૂચને લેબોરેટરી પરીક્ષણ માટે ફૂડ સેફ્ટી વિભાગમાં મોકલવામાં આવ્યો છે.”

શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત

આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણીરૂપે સુરત સિવિલ હોસ્પિટલમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બે થી ત્રણ દાયકાઓ સુધીની લાંબી સેવાકીય કારકિર્દી બાદ નિવૃત્તિ મેળવનાર નર્સીસનું સન્માન કરાયું હતું.                    

      આ અવસરે પોલીસ કમિશનરે નર્સની ભૂમિકા દર્શાવતા કહ્યું કે, સમગ્ર સમાજમાં શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ. નર્સ દ્વારા પોતાના દરેક દર્દી પ્રત્યે નિ:સ્વાર્થ ભાવે કરાતી સેવાકીય પ્રવૃત્તિ સાચે જ પ્રેરણારૂપ છે. તેઓ નિરાશાને આશામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. તદ્દન અજાણ્યા લોકોને પોતીકા બનાવી દર્દીને શારીરીકની સાથે માનસિક સહાય આપી સ્વસ્થ કરવામાં નર્સની ભુમિકા અનેરી હોય છે.

        વધુમાં, કમિશનરે તબીબ અને દર્દી વચ્ચેની મહત્વની કડી સમાન નર્સને તેમની ઉત્તમ કામગીરી માટે અભિનંદન પાઠવી દર્દી સાથે હર હંમેશ સંયમ અને સ્મિત સાથે સકારાત્મક વલણ અપનાવી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

            આ પ્રસંગે પૂર્વ હેલ્થ ડાયરેક્ટર(ગુજરાત) ડો.વિકાસબેન દેસાઈએ સારવાર દરમિયાન દર્દી પ્રત્યેના નર્સનાં વ્યવહાર, વર્તણુકનું મહત્વ જણાવી ‘વર્તનમાં પરિવર્તન’ વિષય પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે નર્સના આંતરિક અને બાહ્ય પરિબળો જેવા કે, સંજોગ, ઉછેર, માનસિકતાને નિર્ણાયક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં આવતા દર્દી કે, જે શારીરિક, માનસિક અને આર્થિક સહિતની ઘણી વિષમ પરિસ્થિતિઓથી ઝઝૂમતા હોય છે ત્યાં દરેક નર્સને સંવેદનશીલતા સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.

         આ પ્રસંગે સોફ્ટ સ્કીલ ટ્રેનર શ્રી પ્રિયંકાબેને દિવસ-રાત સેવાકીય કાર્યમાં જોડાયેલા નર્સોને ગમે તેવા સંજોગોમાં વાણી અને વર્તનમાં વિનમ્રતા રાખી રિએક્ટિવની જગ્યાએ રિસ્પોન્સિવ રીએકશન પર ભાર આપવા સમજાવ્યું હતું.

         આ કાર્યક્રમમાં સુરત સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ધારીત્રી પરમાર, RMO ડૉ કેતન નાયક, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજાબેન પટેલ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડૉ.નિલેશ કાછડીયા, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠીયા, વીરેન પટેલ અને જગદીશ બુહા સહિત વિવિધ કોલેજના હેડ નર્સ, સ્ટાફ નર્સ, નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં આકરી ગરમીનો કહેર: 9 શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પાર, અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં હાલમાં ભયંકર ગરમી પડી રહી છે. હીટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે, જ્યાં તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું તો કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા બપોર દરમિયાન બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરી છે.રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે. રાજ્યમાં 4 દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાનની આગાહી છે. ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. પશ્વિમી પવનો ફૂંકાતા ગરમીની અસર રહેશે.

અગનભઠ્ઠીમાં બે પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાન શેકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે. ગુજરાત-રાજસ્થાનમાં કાળઝાળ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશમાં સૌથી વધુ ગરમી રાજસ્થાનના બાડમેરમાં પડી રહી છે. બાડમેરમાં ગઈકાલે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ફલૌદીમાં 46.8, જેસલમેરમાં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરી છે.આજે પણ આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહે તે પ્રકારની શક્યતા છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજકોટમાં 43.3 ડિગ્રી અને વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગરમીથી સાવચેત રહેવાની સલાહ આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં ગરમીનો કહેર વધશે. આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ હીટવેવ એલર્ટ જાહેર કરાયા છે.

ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસ બાદ જ કરી શકશો નવી બુકિંગ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સામાન્ય માણસ માટે એક રાહતના સમાચાર છે. ઘરેલુ રસોઈ ગેસના ભાવ આજે પણ યથાવત રહ્યા છે. જો કે, કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મુશ્કેલીઓ ઓછી થઈ નથી, કારણ કે તેના ભાવ ₹૩,૦૦૦ને વટાવી ગયા છે.

LPGના આજના ભાવ

આજના ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ભાવની વાત કરીએ તો નવી દિલ્હીમાં ઘરેલુ ગેસના ભાવ ₹913 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3071.50 છે, જ્યારે મુંબઈમાં ઘરેલુ ગેસના ભાવ ₹912.50 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3024 છે. તો અમદાવાદમાં ઘરેલુ ગેસના ભાવ ₹920 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3091 છે.

સરળ અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે કેટલાક તર્કસંગત નિયમો લાગુ કર્યા છે. હવે શહેરી વિસ્તારોમાં તમે છેલ્લા સિલિન્ડર પછી 25 દિવસથી વહેલા બીજો સિલિન્ડર બુક કરી શકશો નહીં, પહેલા આ સમયગાળો 21 દિવસનો હતો. ગ્રામીણ વિસ્તારોમાં આ સમયગાળો 45 દિવસનો રહેશે. ઘરેલુ ગેસની કાળાબજારની રોકવા માટે સરકારે 98% ઓનલાઈન બુકિંગ અને 94% DAC (ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ) આધારિત ડિલિવરી સુનિશ્ચિત કરી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં ગેસની કોઈ અછત નથી, તેથી નાગરિકોએ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક કરવો નહીં.

બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવામાં વિલંબ

ગેસના ભાવમાં સંભવિત વધારાની આશંકા વચ્ચે લોકોએ ગભરાટમાં ગેસ સિલિન્ડર બુક કરવાનું શરૂ કરી દીધું છે. પરિણામે લોકોને હવે બુકિંગ કર્યા પછી પણ નવો ગેસ સિલિન્ડર મેળવવા માટે 3 થી 5 દિવસ રાહ જોવી પડી રહી છે.

સરકારે ગેસ ગેસ વિતરણ માટે પ્રાયોરિટી લિસ્ટ તૈયાર કર્યું છે. કોમર્શિયલ ગેસના પુરવઠામાં હોસ્પિટલો અને શાળાઓને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. આવશ્યક ઉદ્યોગો જેમ કે ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ, ઓટોમોબાઇલ્સ અને કૃષિ ક્ષેત્રને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. દૈનિક વેતન મેળવતા મજૂરો અને કામદારોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે નાના 5 કિલોગ્રામના સિલિન્ડર માટેનો ક્વોટા બમણો કરવામાં આવ્યો છે.