Home Blog Page 85

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, ખરીદદારોને લાગ્યો ઝટકો, જાણો આજના નવા ભાવ

0

અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ ત્રણ મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે સોદાની આશા વધી ગઈ છે. આ દરમિયાન સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ ચાંદીના ભાવમાં 1.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, સોનાના ભાવમાં પણ લગભગ 0.40 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે 09:41 વાગ્યા સુધીમાં સોનાના ભાવ 0.39 ટકા વધીને 1,59,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 621 રૂપિયા છે. બીજી તરફ ચાંદીના ભાવ 1.55 ટકા વધીને 2,76,060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 4214 રૂપિયા છે.

સોમવારે, અઠવાડિયાના પહેલા દિવસે 5 જૂનના રોજ ડિલિવરી માટેનું સોનું 471 રૂપિયા વધીને 1,59,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું, જે શુક્રવારે તેના અગાઉના બંધ ભાવ 1,58,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. આજના ટ્રેડિંગ દરમિયાન સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 1,59,500 રૂપિયાના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરથી વધીને 1,59,014 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યા. આનો અર્થ એ થયો કે સોનાના ભાવ પાછલા સત્રની તુલનામાં 821 રૂપિયા વધ્યા છે.

તેમજ 3 જુલાઈના રોજ ડિલિવરી માટે ચાંદીનો ભાવ 4,837 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો જે શુક્રવારે તેના અગાઉના બંધ ભાવ ₹2,71,846 થી ₹4,837 સુધી વધ્યો. આજના ટ્રેડિંગ દરમિયાન ચાંદીના ભાવ ₹276,888 પ્રતિ કિલોગ્રામના ઇન્ટ્રાડે ઉચ્ચતમ સ્તરથી ₹275,428 પ્રતિ કિલોગ્રામના ઇન્ટ્રાડે નીચલા સ્તર સુધી હતા. આનો અર્થ એ થયો કે ચાંદીના ભાવ પાછલા સત્રની તુલનામાં ₹5,042 વધી ગયા છે.

એ નોંધવું જોઈએ કે ગયા સપ્તાહે શુક્રવારે, દિલ્હી બુલિયન બજારમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ ₹600 ઘટીને ₹164,900 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. ચાંદીના ભાવ ₹271,000 પ્રતિ કિલોગ્રામ પર યથાવત રહ્યા. એ નોંધવું જોઈએ કે MCX અને બુલિયન બજાર બંને શનિવાર અને રવિવારે બંધ રહે છે. સોના અને ચાંદીના ભાવ વધવાનું સૌથી મોટું કારણ ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા છે.

ગુજરાતમાં 3,966 શિક્ષકોની ભરતી: 1 જૂનથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે

ગુજરાતના સરકારી શિક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમયની રાહનો અંત આવ્યો છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક, સ્પેશિયલ એજ્યુકેટર (વિશેષ શિક્ષક) અને મુખ્ય શિક્ષકની કુલ 3,966 જગ્યાઓ પર ભરતી માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રહેશે. ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા પરીક્ષા (TET-ટેટ)ના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમોના આધારે જ કરવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ પોતાના જરૂરી તમામ દસ્તાવેજો ડિજિટલ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ શૈક્ષણિક ગુણાંકના આધારે આખરી મેરિટ લિસ્ટ તૈયાર કરી ઉમેદવારોને જિલ્લા પસંદગીનો વિકલ્પ આપવામાં આવશે.

આ ભરતીમાં ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યાઓ અનામત રાખીને પ્રક્રિયા જાહેર કરવામાં આવતા, લાંબા સમયથી રોજગારીની આશા રાખીને બેઠેલા બેરોજગાર યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે એકસાથે આટલી મોટી સંખ્યામાં ભરતી બહાર પડતાં રાજ્યના લાખો લાયક ઉમેદવારો માટે આ એક સોનેરી તક સાબિત થશે.

મુંબઈ-આગરા નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત, 6 લોકોના મોત, 26 ઘાયલ

0

મુંબઈ-આગ્રા હાઈવે પર ધુલે નજીક લાલિંગ ઘાટ પર આજે સવારે એક ભયાનક અને વિચિત્ર ત્રિપલ અકસ્માત થયો. અહેવાલો અનુસાર, એક ડમ્પર અને એક ટ્રક વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માત પછી, જ્યારે ટોલ કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ઘાયલોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મધ્યપ્રદેશથી આવતી એક ઝડપી ટ્રાવેલ બસે કાબુ ગુમાવ્યો અને અકસ્માતગ્રસ્ત વાહનોને ટક્કર મારી દીધી.

મુંબઈ-આગ્રા નેશનલ હાઇવે પર ધુલે નજીક આવેલા લાલિંગ ઘાટમાં આજે સવારે ભયાનક અને અનોખો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, સૌથી પહેલા એક ડમ્પર અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ટોલકર્મીઓ અને સ્થાનિક લોકો ઘાયલોને બચાવવા માટે મદદ કરી રહ્યા હતા. તે દરમિયાન મધ્ય પ્રદેશ તરફથી આવી રહેલી એક તેજ રફ્તાર ટ્રાવેલ્સ બસે અચાનક નિયંત્રણ ગુમાવ્યું અને અકસ્માતગ્રસ્ત વાહનો સાથે જોરદાર અથડાઈ ગઈ.

બીજો અકસ્માત એટલો ભયાનક હતો કે બચાવ કામગીરીમાં જોડાયેલા એક ટોલકર્મીનું પણ મોત થયું હતું. આ કરુણ ઘટનામાં ટોલકર્મી સહિત કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે 26 લોકો ઘાયલ થયા છે. બનાવની જાણ થતાં જ પોલીસ અને બચાવ ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત રહ્યો હતો. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.

મહારાષ્ટ્રમાં આજે સવારે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. રાયગઢ જિલ્લામાં એક સ્કોર્પિયો કાર અંદાજે 700 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી, જેના કારણે કારમાં સવાર તમામ 8 લોકોના મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, મહાબળેશ્વર અને પોલાદપુર વચ્ચે આવેલા અંબેનાલી ઘાટ વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો.

UKમાં ભારતનો ડંકો: હરિયાણાના 23 વર્ષના યુવક અને તેમની માતા બંને બન્યા મેયર

0

હરિયાણાથી બ્રિટન પહોંચેલા એક ભારતીય પરિવારની સફળતા આજે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે. 23 વર્ષીય તુષાર કુમાર યુકેમાં ભારતીય મૂળના સૌથી યુવા મેયર બન્યા છે, જ્યારે તેમની માતા પરવીન રાની પણ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. પરિવાર માટે આ ગૌરવની ક્ષણ માનવામાં આવી રહી છે.

તુષાર કુમારે 13 મેના રોજ એલ્સ્ટ્રી અને બોરહામવુડ ટાઉન કાઉન્સિલના મેયર તરીકે પદભાર સંભાળ્યો હતો. આ સાથે જ તેઓ યુકેમાં ભારતીય મૂળના સૌથી યુવા મેયર બન્યા છે. ત્યારબાદ માત્ર એક અઠવાડિયામાં તેમની માતા પરવીન રાની હર્ટસમેર બરો કાઉન્સિલના મેયર તરીકે ચૂંટાયા હતા.

આ પરિવાર વર્ષ 2013માં હરિયાણાથી યુનાઇટેડ કિંગડમ ગયો હતો. તુષારના પિતા સુનીલ દહિયાએ જણાવ્યું કે જ્યારે તેઓ યુકે ગયા ત્યારે કોઈ ખાસ યોજના નહોતી. તેમણે કહ્યું, “જ્યારે અમે 2013માં યુકે આવ્યા હતા ત્યારે અમારી પાસે કોઈ સ્પષ્ટ પ્લાન ન હતો. તે સમયે તુષાર માત્ર 10 વર્ષનો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું કે આજે માતા અને પુત્ર બંને મેયર પદ પર પહોંચ્યા છે, જે પરિવાર માટે ખૂબ ગર્વની વાત છે.

તુષાર કુમારે ખૂબ નાની ઉંમરે જ જાહેર જીવનમાં પ્રવેશ કર્યો હતો. લંડનમાં અભ્યાસ દરમિયાન તેઓ 20 વર્ષની ઉંમરે કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. બાદમાં તેઓ ડેપ્યુટી મેયર બન્યા અને હવે મેયર પદ સુધી પહોંચ્યા છે.

તુષારના પિતાએ જણાવ્યું કે તુષાર માને છે કે જાહેર સેવા અથવા સમાજ સેવા માટે ઉંમર ક્યારેય અવરોધ બની શકતી નથી.

તુષાર અને તેમની માતા પરવીન રાની બંને લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેઓ મફતમાં હિન્દી ભાષા શીખવે છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સેવા કાર્ય કરે છે.

પરિવારનું મૂળ વતન હરિયાણાના સોનીપત જિલ્લાના રોહના ગામમાં છે અને યુકે જવા પહેલાં તેઓ રોહતકમાં રહેતા હતા.

સુનીલ દહિયાએ જણાવ્યું કે પરિવાર આજે પણ પોતાના મૂળ સાથે જોડાયેલો છે. તેઓ દર વર્ષે પોતાના ગામ અને શહેરની મુલાકાત લે છે. તેમણે કહ્યું કે તુષાર અને પરવીન રાની બંને યુકેમાં સમાજ સેવા અને લોકો સાથેના જોડાણ માટે સંપૂર્ણ સમર્પિત છે.

વડોદરાના ડેસરમાં ગેરકાયદે ખનન દરમિયાન ભેખડ ધસી પડતા બેના મોત, ખનન માફિયાઓ ફરાર

વડોદરા : તંત્રની રહેમનજર હેઠળ વડોદરામાં વર્ષોથી ગેરકાયદેસર ખનન ધમધમતું રહ્યું છે. આર્થિક લાભ માટે કેટલાક સરકારી બાબુઓ ખનન માફિયાઓના ગુલામ બની ગયા હોવાના આક્ષેપો વચ્ચે વડોદરાના ડેસર તાલુકામાં ગેરકાયદે રેતી ખનન દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભેખડ ધસી પડતાં બે લોકો માટી નીચે દટાઈ જતા તેમના મોત નિપજ્યા છે. ઘટનાના પગલે ખનન માફિયાઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે ડેસર તાલુકામાં ગેરકાયદે ખનનની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડી હતી. આ દુર્ઘટનામાં હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રકના કંડક્ટર સહિત બે કામદારો માટી નીચે દટાઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ બંનેને બચાવી શકાયા નહોતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

ઘટના બાદ ખનન સાથે સંકળાયેલા લોકો સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. જે વિસ્તારમાં અકસ્માત થયો ત્યાં વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સમગ્ર મામલે ડેસર પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડેસર CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સાપુતારામાં વરસાદથી ઠંડક પ્રસરી

0

રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે, જેના કારણે લોકો કાળઝાળ ગરમીથી અકળાઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગરમીમાંથી ખાસ રાહત નહીં મળે તેવી આગાહી વ્યક્ત કરી છે. જોકે સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે છૂટાછવાયા ઝરમર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. વલસાડ અને ડાંગ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે સાપુતારામાં ધીમીધારે વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઈ છે.

વલસાડ જિલ્લામાં સવારથી જ આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

બીજી તરફ ડાંગ જિલ્લાના હિલ સ્ટેશન સાપુતારામાં પણ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વાદળછાયા માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બની ગયું છે. જોકે ભારે ધુમ્મસ અને વરસાદને કારણે ઘાટમાર્ગ પર વિઝિબિલિટી ખૂબ ઓછી થઈ ગઈ છે. કેટલીક જગ્યાએ ઝીરો વિઝિબિલિટી જેવી સ્થિતિ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોને સાવધાનીપૂર્વક વાહન ચલાવવાની સૂચના આપવામાં આવી રહી છે.

અન્ય રાજ્યોની વાત કરીએ તો શનિવારે સવારે દિલ્હી-એનસીઆરમાં પણ અચાનક હવામાન બદલાયું હતું। આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હતા અને ધૂળની આંધી શરૂ થઈ હતી. થોડા જ સમયમાં બદરપુર, તુગલકાબાદ અને ફરીદાબાદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો। વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો અને લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું છે કે 28 મે સુધી ગરમી જેવી સ્થિતિ યથાવત રહી શકે છે. શુક્રવારે દિલ્હી, પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં પણ ભારે ગરમીનો અનુભવ થયો હતો. દિલ્હીના સફદરજંગ સ્ટેશન પર મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં વધુ હતું. લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું નોંધાયું હતું.

IMDએ યલો એલર્ટ જાહેર કર્યું
હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. યલો એલર્ટનો અર્થ એ છે કે કેટલાક વિસ્તારોમાં ધૂળભરી આંધી અને ખરાબ હવામાનની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાક દરમિયાન દક્ષિણ પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, શાહદરા, મધ્ય દિલ્હી, ઉત્તર પૂર્વ દિલ્હી, દક્ષિણ દિલ્હી, નવી દિલ્હી, દક્ષિણ પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી અને ઉત્તર દિલ્હીમાં મધ્યમ ધૂળના તોફાનો આવી શકે છે.

તે ઉપરાંત દક્ષિણ દિલ્હી અને દક્ષિણ પશ્ચિમ દિલ્હીના કેટલાક ભાગોમાં 60થી 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ અને વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રિયલમી 16T ફોન સેલ્ફી મિરર ફીચર સાથે લોન્ચ, 8000mAh બેટરી અને મજબૂત બોડી

0

રિયલમી 16T ફોન ભારતમાં લોન્ચ થયો છે. રિયલમી 16ટી સ્માર્ટફોન સાથે કંપનીએ રિયલમી Buds Air 8 Pro અને રિયલમી વોચ S5 પણ રજૂ કરી છે. Realme 16T ફોનમાં 144Hz ડિસ્પ્લે, 50MP સોની IMX852 રિયર કેમેરા સાથે સેલ્ફી મિરર લેન્સ અને 8000mAh બેટરી સાથે 45W ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ આવે છે. આ Realme ફોનમાં AI પાવર્ડ કેમેરા ફીચર્સ પણ છે. જાણો Realme 16T ફોનની કિંમત અને તમામ ફીચર્સ

Realme 16T કિંમત
Realme 16T ફોન 3 વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યોછે. રિયલમી 16ટી ફોનના બેઝ વેરિયન્ટ 6GB રેમ અને 128GB સ્ટોરેજ મોડલની કિંમત 29,999 રૂપિયા છે. તો 8GB + 128GB વેરિયન્ટની કિંમત 31,999 રૂપિયા અને 8GB + 256GB વેરિયન્ટની કિંમત 34,999 રૂપિયા નક્કી કરવામાં આવે છે. આ રિયલમી ફોન સ્ટારલાઇટ બ્લેક, સ્ટારલાઇટ બ્લૂ અને સ્ટારલાઇટ રેડ કલર ઓપ્શન સાથે આવે છે. આ ફોન રિયલમી ઈન્ડિાય અને ફ્લિપકાર્ટ વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

લોન્ચ ઓફરની વાત કરીયે તો રિયલમ 16 ફોન ખરીદતી વખતે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 3000 રૂપિયાનું ઇન્ટરેસ્ટ ડિસ્કાઉન્ટ મળે છે. આ સાથે જ ઇએમઆઇ પેમેન્ટ પર 2000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે. આ ફોન 12 મહિનાના નો કોસ્ટ EMI પરથી પણ ખરીદી શકાય છે. તેની સાથે જ જૂનો ફોન એક્સચેન્જ કરવા પર 1000 રૂપિયાનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ કંપની આપી રહી છે. Realme 16T સ્માર્ટફોન 26 મે સુધી પ્રી બુકિંગ કરાવી શકાય છે. ફોનનો પ્રથમ સેલ 27 મેના રોજ શરૂ થશે.

Realme 16T ફીચર અને સ્પેસિફિકેશન
Realme 16T સ્માર્ટફોનમાં 6.8 ઇંચની LCD સ્ક્રીન આવે છે, જેનો 144Hz રિફ્રેશ રેટ અને સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.4 ટકા છે. આ રિયલમી ફોન મીડિયાટેક Dimensity 6300 ચિપસેટ સાથે આવે છે. આ ડિવાઇસ Android 16 બેઝ્ડ Realme UI 7 પર રન કરે છે. તેમા સ્પ્લિટ સ્ક્રીન મલ્ટીટાસ્કિંગ, ફ્લોટિંગ વિન્ડો, સ્ક્રીન રેકોર્ડિંગ, ઓપ્પો શેર અને iOS ફાઇલ શેરિંગ સહિત ઘણા ફીચર્સ મળે છે.

ફોટોગ્રાફી ફીચર્સની વાત કરીયે તો Realme 16T ફોનમાં 50 મેગાપિક્સલનો Sony IMX852 પ્રાયમરી કેમેરા છે, તેનું અપર્ચર f/1.8 છે, જે ઓટોફોક્સ સપોર્ટ ફીચર્સ સાથે આવે છે. ઉપરાંત ફોનમાં 2 મેગાપિક્સલનો સેકેન્ડરી કેમેરા છે. આ ફોનમાં રિયલમીનું LumaColor IMAGE Engine આપ્યું છે, જે AI પ્રોસેસિંગની મદદથી સ્ક્રીન ટોન, ટેક્ચર, ડાયનમિક રેન્જને ઇમ્પ્રુવ કરે છે. આ ફોનમાં વીડિયો કોલ અને સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આવે છે.

આ ફોનમાં AI Popout, AI Eraser, AI Instant Clip અને AI StyleMe જેવા AI આધારિત એડિટિંગ ફીચર્સ પણ આપ્યા છે. ઉપરાંત આ ફોનમાં કંપનીએ Rear Selfie Mirror (રિયર સેલ્ફી મિરર) ફીચર પણ આપ્યું છે, જેનાથી યુઝર્સ રિયર કેમેરા વડે આકર્ષક ફોટા ક્લિક કરી શકે છે.

Realme 16T ફોનને પાવર આપવા માટે 8,000mAh બેટરી આપી છે, જે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોનમાં બાયપાસ ચાર્જિંગ ફીચર્સ પણ આવે છે. કંપનીનો દાવો છે કે આ સ્માર્ટફોન માત્ર 104 મિનિટમાં શૂન્ય થી 100 ટકા ફુલ ચાર્જ થઇ જાય છે.

રિયલમી 16T સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 5G, VoWiFi, Bluetooth 5.3, IPv6, GPS, GLONASS, Galileo, QZSS, અને BeiDou આવે છે. આ ફોન વાટરપ્રુફ અને ડસ્ટ ફ્રી છે, જેની માટે IP66, IP68 અને IP69 રેટિંગ મળ્યું છે. ફોનમાં થર્મલ મેનેજમેન્ટ માટે વોપર ચેમ્બર અને ગ્રેફાઇટ કૂલિંગ સિસ્ટમ આવે છે. સિક્યોરિટી માટે ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. કંપનીનો દાવો છે કે, ફોન હાઇ પ્રેશર વોટર જેટ અને 80 ડિગ્રી સુધી તાપમાનને પણ સહન કરી શકે છે. ઉપરાંત તેમા મિલિટ્રી ગ્રેડ Shock Resistance પણ આપ્યું છે.

યુપીમાં બાહુબલીઓના હથિયાર લાઇસન્સ મામલે અલાહાબાદ હાઈકોર્ટ કડક, યોગી સરકાર પાસે માંગ્યો જવાબ

0

ઉત્તર પ્રદેશમાં આપરાધિક પૃષ્ઠભૂમિ ધરાવતા દબંગ લોકોને શસ્ત્ર લાઇસન્સ આપવામાં આવતા મુદ્દે અલ્હાબાદ હાઈકોર્ટે મોટું પગલું ભર્યું છે. રાજ્યની સૌથી મોટી અદાલતે યોગી સરકાર અને તમામ પોલીસ વિભાગોને પૂછ્યું છે કે ગંભીર ગુનાઓમાં સામેલ બાહુબલીઓ અને દબંગ નેતાઓને કયા આધારે હથિયારોના લાઇસન્સ આપવામાં આવ્યા છે? આ મામલાને લઈને સંબંધિત વિભાગોમાં હડકંપ મચી ગયો છે.

હાઈકોર્ટે આ મામલે 19 ચર્ચિત નામોની સંપૂર્ણ માહિતી તલબ કરી છે. કોર્ટે સરકારને એ પણ પૂછ્યું છે કે આ લોકોને કઈ પરિસ્થિતિમાં શસ્ત્ર લાઇસન્સ આપવામાં આવ્યા, તેમના વિરુદ્ધ કેટલા કેસ નોંધાયેલા છે અને તેમને કઈ પ્રકારની સરકારી સુરક્ષા આપવામાં આવી છે. હાઈકોર્ટે જેમના રેકોર્ડ માંગ્યા છે તેમાં અનેક મોટા રાજકીય અને આપરાધિક ચહેરાઓ સામેલ છે. તેમના નામ આ મુજબ છે:

  • રઘુરાજ પ્રતિાપ સિંહ
  • ધનંજય સિંહ
  • સુશીલ સિંહ
  • બ્રજ ભૂષણ શરણ સિંહ
  • વિનિત સિંહ
  • અજય મરદહ
  • સુજીત સિંહ બેલવા
  • ઉપેન્દ્ર સિંહ ગુડ્ડૂ
  • પપ્પુ ભૌકાળી
  • ઇન્દ્રદેવ સિંહ
  • સુનીલ યાદવ
  • ફરાર અઝીમ
  • બાદશાહ સિંહ
  • સંગ્રામ સિંહ
  • સુલ્લૂ સિંહ
  • ચુલબુલ સિંહ
  • સની સિંહ
  • ચૂન્નૂ સિંહ અને
  • ઉદય ભાન સિંહ

હકીકતમાં સંતકબીરનગરના રહેવાસી જયશંકરે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રાજ્યમાં શસ્ત્ર લાઇસન્સ જારી કરવા અને તેના નવીનીકરણમાં નિયમોની અવગણના કરવામાં આવી રહી છે. અરજદારે એ પણ કહ્યું હતું કે ઘણા એવા લોકો હથિયારોના લાઇસન્સ લઈને ખુલ્લેઆમ પ્રદર્શન કરે છે જેમની આપરાધિક પૃષ્ઠભૂમિ રહી છે. આથી સમાજમાં ભય અને ગન કલ્ચર વધી રહ્યું છે. મામલાની સુનાવણી જસ્ટિસ વિનોદ દિવાકરની કોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન જ્યારે રાજ્ય સરકારે પોતાનું હલફનામું દાખલ કર્યું ત્યારે આંકડા જોઈને કોર્ટ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

હથિયારોના પ્રદર્શનથી આત્મરક્ષા નહીં, ભય દેખાય છે: હાઈકોર્ટ
કોર્ટે કહ્યું કે હથિયારોનું જાહેર પ્રદર્શન ભલે દબદબો, શક્તિ અને સુરક્ષાનો ભ્રમ ઉભો કરતું હોય, પરંતુ તે ઘણીવાર સામાજિક સૌહાર્દ બગાડે છે। સામાન્ય જનતામાં ભય અને અસુરક્ષાની ભાવના પેદા કરે છે. ખુલ્લેઆમ હથિયાર લઈને ફરવું ભલે આત્મરક્ષાના નામે યોગ્ય ઠેરવવામાં આવે, પરંતુ જ્યારે તે ડરાવા-ધમકાવાનું સાધન બની જાય છે ત્યારે તે સુરક્ષા નહીં પરંતુ ખૌફ પેદા કરે છે। એવું સમાજ જ્યાં હથિયારબંદ લોકો બળજબરીથી પોતાનો દબદબો જાળવે છે, તે શાંતિપ્રિય સમાજ હોઈ શકે નહીં.

NEET-UG 2026 રિફંડ પ્રક્રિયા શરૂ: 27 મે સુધી બેંક ડિટેલ અપડેટ કરો, 21 જૂને ફરી પરીક્ષા યોજાશે

0

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ 3 મેના રોજ યોજાયેલી અને બાદમાં રદ્દ કરાયેલી NEET-UG 2026 પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો માટે રિફંડ પ્રક્રિયા શરૂ કરી છે. વિદ્યાર્થીઓ હવે પરીક્ષા ફીની પરત મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ મારફતે પોતાના બેંક એકાઉન્ટની વિગતો સબમિટ કરી શકે છે.

સત્તાવાર સૂચના મુજબ, NEET-UG 2026 રજિસ્ટ્રેશન પોર્ટલ પર રિફંડનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। પરીક્ષા માટે નોંધાયેલા ઉમેદવારો પોતાના એપ્લિકેશન ક્રેડેન્શિયલ્સનો ઉપયોગ કરીને લોગિન કરી શકે છે અને રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે નિર્ધારિત રિફંડ લિંક પર જઈ શકે છે.

રિફંડ મેળવવા માટે અરજદારે ખાતાધારકનું નામ, બેંકનું નામ, એકાઉન્ટ નંબર અને IFSC કોડ સહિતની જરૂરી બેંકિંગ વિગતો આપવી પડશે। ઉમેદવારો પાસે સબમિટ કરેલી માહિતીની ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે રદ્દ કરાયેલા ચેકની સ્કેન કરેલી નકલ અપલોડ કરવાનો વિકલ્પ પણ રહેશે.

NTAએ સ્પષ્ટ કર્યું છે કે એકવાર બેંક વિગતો સબમિટ થઈ જાય પછી તેમાં કોઈ સુધારો કે ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં। ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે સબમિટ કરતા પહેલાં તમામ માહિતી ધ્યાનપૂર્વક ચકાસી લે। રિફંડ માટે બેંક વિગતો સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 મે રાત્રે 11:50 વાગ્યા સુધી છે.

ઉલ્લેખનીય છે કે NEET પરીક્ષા 3 મેના રોજ સમગ્ર ભારતમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સોમાં પ્રવેશ માટે યોજાઈ હતી। જોકે બાદમાં પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી, કારણ કે એવી માહિતી સામે આવી હતી કે કેટલાક લોકોએ કથિત રીતે પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર મેળવી લીધું હતું અને તે પૈસાના બદલામાં ઉમેદવારોને વહેંચવામાં આવ્યું હતું। તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં આ મામલે 11 લોકોની ધરપકડ કરી છે। આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવી રહી છે.

પરીક્ષા રદ્દ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જાહેરાત કરી છે કે NEET-UG 2026ની ફરી પરીક્ષા હવે 21 જૂને લેવામાં આવશે। પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી યોજાશે, જેમાં પરીક્ષા સંબંધિત ઔપચારિકતાઓ માટે ફાળવાયેલ સમય પણ સામેલ છે। ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ રિફંડ પ્રક્રિયા અને ફરી પરીક્ષા કાર્યક્રમ સંબંધિત અપડેટ માટે નિયમિત રીતે NTAની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહે.

‘કોકરોચ જનતા પાર્ટી’ના ફાઉન્ડરનો દાવો: તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, હવે મળી રહી છે ધમકીઓ!

0

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ શનિવારે દાવો કર્યો કે તેમનું Instagram એકાઉન્ટ અને પાર્ટીનું ઓફિશિયલ Instagram પેજ હેક કરી લેવામાં આવ્યું છે. આ દાવો એવા સમયે સામે આવ્યો છે જ્યારે તેમનો વ્યંગાત્મક ડિજિટલ અભિયાન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ચૂક્યો હતો અને તેને લાખો લોકોનો સમર્થન મળી રહ્યો હતો. અભિજીત દિપકેએ આરોપ લગાવ્યો કે તેમના ઓનલાઈન પ્લેટફોર્મ્સ વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમની સાથે જોડાયેલા અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રભાવિત થયા છે.

સોશિયલ મીડિયા પર લખી સંપૂર્ણ વાત
અભિજીત દિપકેએ સોશિયલ મીડિયા પર લખ્યું, “કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. Instagram પેજ હેક થઈ ગયું છે. મારું વ્યક્તિગત Instagram એકાઉન્ટ પણ હેક થઈ ગયું છે. Twitter (x)એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને બેકઅપ એકાઉન્ટ પણ હટાવી દેવામાં આવ્યું છે. હાલ અમારા કોઈપણ પ્લેટફોર્મ પર અમારી પહોંચ નથી. આ પછી કરવામાં આવતી કોઈપણ પોસ્ટને કોકરોચ જનતા પાર્ટીનું સત્તાવાર નિવેદન માનવામાં ન આવે.”

થોડા જ દિવસોમાં લાખો લોકો સુધી પહોંચ્યું અભિયાન
અભિજીત દિપકે Boston Universityના વિદ્યાર્થી છે અને આમ આદમી પાર્ટીના પૂર્વ સહયોગી પણ રહી ચૂક્યા છે. તેમણે લગભગ એક અઠવાડિયા પહેલા આ વ્યંગાત્મક ડિજિટલ અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારબાદ આ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બન્યું હતું. અહેવાલ મુજબ પાર્ટીના Instagram એકાઉન્ટ પર લગભગ 1.9 કરોડ ફોલોઅર્સ થઈ ગયા હતા.

કેવી રીતે શરૂ થયો ‘કોકરોચ જનતા પાર્ટી’ ટ્રેન્ડ?
‘કોકરોચ જનતા પાર્ટી’ ટ્રેન્ડ તે વિવાદ પછી શરૂ થયો હતો જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની કથિત ટિપ્પણીને લઈને ચર્ચા થઈ હતી. જણાવવામાં આવ્યું હતું કે સિનિયર વકીલનો દરજ્જો આપવાની અરજીની સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશે કથિત રીતે ‘પરજીવી’ અને ‘કોકરોચ’ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. અભિજીત દિપકેના જણાવ્યા અનુસાર આ આખો વિચાર આ જ વિવાદથી પ્રેરિત હતો. જોકે બાદમાં મુખ્ય ન્યાયાધીશે સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને તેમની ટિપ્પણી માત્ર નકલી અને ખોટી ડિગ્રી લઈને કાનૂની વ્યવસાયમાં આવનારા લોકો માટે હતી.

મીમ્સ અને વ્યંગથી વાયરલ થઈ પાર્ટી
તે છતાં ‘કોકરોચ જનતા પાર્ટી’ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ હતી. કોકરોચને ચૂંટણી ચિહ્ન બનાવી મીમ્સ, વ્યંગ, ગ્રાફિક્સ અને રાજકીય ટિપ્પણીઓ દ્વારા આ અભિયાનને આગળ વધારવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મ પર બેરોજગારી, પરીક્ષા પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થા જેવા યુવાનો સાથે જોડાયેલા મુદ્દાઓને વ્યંગાત્મક ઘોષણાપત્ર અને ચૂંટણી અભિયાનની શૈલીમાં રજૂ કરવામાં આવતા હતા. અભિજીત દિપકેએ આ આંદોલનને “આળસુ અને બેરોજગાર લોકોની અવાજ” ગણાવ્યો હતો.

પહેલા પણ મળી ચૂકી છે જાનથી મારી નાખવાની ધમકીઓ
આ પહેલા પણ અભિજીત દિપકેએ દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા પર અભિયાન વાયરલ થયા બાદ તેમને WhatsApp પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેમણે કથિત ધમકીભર્યા મેસેજના સ્ક્રીનશોટ શેર કરતા લખ્યું હતું, “હવે અમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.” દિપકેના જણાવ્યા અનુસાર મેસેજ મોકલનાર વ્યક્તિએ તેમને ‘કોકરોચ જનતા પાર્ટી’નું એકાઉન્ટ બંધ કરવા અથવા પછી BJPમાં જોડાવા માટે દબાણ કર્યું હતું.